________________
--
-
-
--
-
-
-
શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે
૧૭૩
દીવો ” વગેરે શબ્દો પ્રથમાવિભક્તિવાળા છે પણ તેમને બધાને છઠ્ઠી વિભક્તિવાળા કરીને પ્રસ્તુત સ્તુતિમાં યોજવાના છે. જિતાવનાર
૪૧ શકસ્તવમાં વા ભગવાનને પરિચય આપતા વર્ણકમાં ધણ પાઠભેદો માલૂમ પડે છે. કેટલેક સ્થળે “જિયું પછી “જાવય” શબ્દ આવે છે ત્યારે ક્યાંય ક્યાંય “જાવય” ને બદલે “જાણુય પદ દેખાય છે. વિશેષ વિચાર કરતાં જાય” ને બદલે “જાવય” પાઠ વધારે સુસંગત છે. “તિનાણું તારયાણું” વગેરે વિશેષ જોતાં જાવયાણું” પાઠ જ બરાબર છે.
આ ઉપરાંત એ શક્રસ્તવમાં બીજા અનેક પાઠભેદે છે. શરીરની ઉંચાઈ
૪ર ભગવાનના શરીરનું વર્ણન જોતાં એમ માલૂમ પડે છે કે તેઓ ગૃહસ્થાશ્રમમાં વિશેષ કરીને વ્યાયામપ્રિય હશે. શરીરની મજબૂતાઈ અને સુડોળપણું લાવવામાં વ્યાયામ એ મુખ્ય કારણ છે. જેના સૂત્રમાં ઠેકઠેકાણે વ્યાયામની પદ્ધતિના વર્ણને તે આવેજ છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થને અખાડે પ્રસિદ્ધ છે. ભગવાનના ભલાશય અને જઠરનું જે વર્ણન કરેલું છે, તે તેમની મિતાહારિતા અને પશ્ચચારિતાને સૂચવે છે. ખાનપાનના આચાર વર્ણવતાં જૈન સુત્રામાં ખાનપાનનાં પ્રમાણ વિષે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. શ્વાસ સુધી - ૪૩ ગી જ્યારે બેગની સાધના પૂરી કરે છે, શરીર મન અને વચન ઉપર પૂરેપૂર કાબુ મેળવે છે ત્યારે તેનાં શરીરમાં લાવણ્ય, કૂતિ, અને તેજ વધુ ને વધુ પ્રમાણમાં પ્રકટે છે. ઉપરાંત કેટલીક બીજી શક્તિઓનો પણ તેમાં આવિર્ભાવ થાય છે. પાતંજલયોગસૂત્રના વિભૂતિપાદમાં જે વિભૂતિઓ વર્ણવેલી છે, તે બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org