SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે રહેલી માલૂમ પડે છે. આ પરંપરાને અનુસરીને બીજા બધા સામાન્ય લેકે પણ પૂર્વ દિશાને મહત્ત્વ આપે છે. જિન દૃષ્ટિએ તે કઈ દિશાને ખાસ કશું મહત્ત્વ હોય એવું જણાતું નથી. ભગવાન મહાવીરના સમયમાં એક એવે સંપ્રદાય હતો કે જે દિશાઓની પૂજાઓમાં માનતો. જન સુત્રોમાં એ સંપ્રદાયનું નામ “દિસાપખી’ જણાવેલું છે. ભગવાને દિશાઓની આ જડપૂજાના પ્રચારને રોકવા માટે અને દિશાના માહામ્યની નિપ્રયજનતા બતાવવા માટે ભગવતી સૂત્રમાં દિશાઓને જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ છવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલા માત્રથી તેની જડપૂજા કરવી જરાય ઉપયોગી નથી. પર્યકાસન ૩૯ પર્યકાસનને અર્થ પદ્માસન કરેલ છે, પણ તેનો શબ્દાર્થ જોતાં તેનો અર્થ પલંગ જેવું આસન થાય છે. ચત્તા સૂઈને બે હાથ અને બે પગ જમીન ઉપર ટેકવી બાકીને શરીરને બધા ભાગ તેને આધારે અદ્ધર રાખ. એ પર્યકાસનની પદ્ધતિ છે. સંભવ છે કે કદાચ ભગવાન આવું આસન કરતા હોય; અથવા “પર્ધક ને એક બીજો અર્થ “પલેઠી” પણ થાય છે તે રીતે જોતાં ભગવાન પલેઠી વાળીને બેસતા હોય, પણ ટીકાકાર તે તેને પદ્માસન અર્થ કરે છેઃ ““સંપત્રિચંનિસને ઉત્ત ઘાણને નિષvor:” ઔપપાતિક પૃ. ૨૬ દ્વીપસમાન ૪. ભગવાનને પરિચય આપતા સ્તુતિરૂ૫ વર્ણકમાં ભગવાનને દ્વીપસમાન, ત્રાણરૂપ, શરણરૂપ, આશ્રયરૂપ અને આધારરૂપ, જણાવેલા છે. તેને લગતે મૂળ પાઠ “દી, તાણું, સરણું ગઈ, પઈઢા” આ પ્રકારનો છે. મૂર્તિપૂજક સંપ્રદાયના લોકોમાં આ પાઠન પ્રચાર નથી પણ સ્થાનકવાસી સંપ્રદાયના લોકોમાં આને પ્રચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy