________________
શ્રી રાયપાસેણુઈય સુત્ત ઃ ટિપણે
૧૭૧
અવગ્રહ
૩૭ આ શબ્દ ગ્રહણની મર્યાદા સૂચવે છે. જૈન પરિભાષામાં આને બીજો અર્થ “સામાન્ય જ્ઞાન” એવો પણ પ્રસિદ્ધ છે, પરંતુ અહીં તો આનો અર્થ “ગ્રહણની મર્યાદા ઘટે એમ છે. ઘરધણીની સંમતિ મેળવીને રહેવા માટે ઘરને ગ્રહણ કરવું, સંમતિ મળે ઘરમાં ઊતરવું (“ધર” શબ્દ ઉદ્યાન વાડી બગીચે ખેતર પહાડ ઝાડ વગેરેને સૂચક સમજવાને છે) એ ભાવને અવગ્રહ શબ્દ સૂચવે છે. શાસ્ત્રકાર અવગ્રહના પાંચ પ્રકાર બતાવે છેઃ ઈવગ્રહ રાજાવગ્રહ, ગૃહપતિઅવગ્રહ ગૃહસ્વામિઅવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. અર્થાત્ કોઈ નિવાસસ્થાનમાં રહેવું હોય ત્યારે ઈંદ્ર, રાજા, ગૃહપતિ–માંડલિક, ગૃહ
સ્વામી અને પિતાને સાધર્મિક એમની સંમતિ મેળવીને એમના નિવાસમાં રહેવું ઉચિત છે. એએની સંમતિ મળ્યા વિના એમના નિવાસમાં રહેવું દોષજનક છે. આ પાંચ અવગ્રહમાં પૂર્વ પૂર્ણ કરતાં ઉત્તર ઉત્તર અવગ્રહ બળવાન છે એમ પ્રવચનસારોદ્ધારની ટીકા કહે છે, પરંતુ જ્યાં રાજાની જ સંમતિ ન હોય ત્યાં ગૃહસ્વામીની સંમતિ શું કરી શકે ? સાધર્મિક તો પિતાની પાસે કે સાથે રાખવા ખુશ હોય પણ ગૃહસ્વામી પોતે જ સંમતિ ન આપતા હોય ત્યાં રહી શકાય ખરૂં ? આ જોતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં બતાવેલી ઉત્તર ઉત્તર અવગ્રહની બલવત્તા કેવી રીતે અને કઇ અપેક્ષાએ ધટાવવી એ સમજવું મુશ્કેલ છે. પૂર્વાભિમુખ
- ૩૮ જ્યાં જ્યાં તીર્થકરની રહેવાની વાત આવે છે ત્યાં બધે તેઓ પૂર્વાભિમુખ થઈને બેસે છે એવું લખેલું હોય છે. પૂર્વ દિશામાં સૂર્ય હેય છે એથી એ દિશા ઘણા જૂના સમયથી લૌકિક દૃષ્ટિએ પવિત્ર મનાતી આવી છે. ઘણા જૂના કાળમાં કેટલાક લોકો સૂર્યના પૂજક હતા. પૂર્વાભિમુખ બેસવામાં સૂર્ય તરફનાં જૂના સભાવની નિશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org