SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી રાયપાસેણય સુત્ત ઃ ટિપણે સૂચવવામાં આવી છે. એથી “રાજ તરીકે જમીનની આવક રૂપે તેમને જે યોગ્ય મળવું જોઈએ તે તો મળતું જ હશે અને તે ઉપરાંત અર્થલાભના ઉપાયોને તેઓ જતા હશે એ આ વિશેષણને ધ્વનિ નીકળી શકે. પણ આજના રાજાએ, અર્થલાભના ઉપાયે કરતાં પ્રજાને ભારે રંજાડે છે તેમ એ પ્રાચીન રાજાઓ કરતા હશે કે કેમ ? એ એક પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ખાંકિજજ નામના સત્યાવીશમાં અધ્યયનની ગાથા તેરમીમાં “રાયદ્રિ' શબ્દ “રાજાની વેઠ’ અર્થમાં વપરાય છે તેથી જૂના વખતમાં “વેઠ” હતી એમ તે કહી શકાય અને અર્થલાભ સાથે “વેઠ ને ગાઢ સંબંધ છે એ તે જાણીતું છે. એઠવાડમાં ઘણું ખાવાનું ચાલ્યું જાય એને સંપત્તિની નિશાની રૂપે વર્ણવેલું છે, પણ એ સંપત્તિની નિશાની કરતાં બેદરકારીનું વધુ નિશાન છે એમ લાગ્યા વિના રહેતું નથી. ચારસે વર્ષ પૂર્વે લખેલી એક પ્રાચીન પ્રતિમાં “ તથા વિર્તિત થઈવધવિશિષ્ટોTwારતિયા વિરુદ ૩૩fટાવિગુ કરૂ માન” ઈત્યાદિ પાઠ છે. તેનો અર્થ એમ થાય છે કે-“ જે રાજાના રાજ્યમાં વિશિષ્ટ ઉપકાર કરવાને કારણે પ્રચુર ખાનપાન ઉકરડા વગેરેમાં ફેંકાય છે.” આ ઉપરથી “જેના એઠવાડમાં અધિક ખાવાનું ફેંકાય તે વિશેષ ઉપકારી છે એવું ટીકાકારનું કથન નીકળે છે. પરંતુ અહિંસાની દૃષ્ટિએ વિચારીએ તો આ પદ્ધતિ પ્રશંસનીય નજ ગણાય. કદાચ ખરેખર એવું બનતું જ હોય તો પણ રાજાની વર્ણનામાં તેનું આ જાતનું વર્ણન અહિંસાની દૃષ્ટિએ ન શોભે.એઠવાડદ્વારા ઉપકાર કરવા કરતાં ચેખા ભજનધારા ઉપકાર કરવાની પદ્ધતિને જ જૈન દષ્ટિ સ્વીકારે છે અને વિવેકીને તે એમ જ શેભે. એડવાથી તે ઉપકારને બદલે અપકાર જ થાય અને માનવબંધુઓ તથા અન્ય પ્રાણીઓ પ્રતિને આપણે પ્રેમ-સમભાવ પણ ન જળવાય અને ગંદવાડ થઈ રોગચાળો વધે એ તે જુદું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy