________________
શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે
वततार नाट्यविधिं चोपदर्शयामास, यत्र च प्रदेशिराजचरितं भगषता प्रत्यपादि રતિ” અર્થાત જે આમલકાપા નગરીમાં સૂર્યાભદેવ ભગવાનને વાંદવા આવ્યો અને તેણે તેમની પાસે નૃત્ય કરી બતાવ્યું તથા જે નગરીમાં ભગવાને પ્રદેશ રાજાની કથા કહેલી તે આમલકાપા નગરીને સ્વામી આ “સેય છે. ટીકાકાર મલયગિરિ “સેય’નું સંસ્કૃત રૂપાંતર “શ્રત કહે છે પણ “ત” છે કે “શ્રેય” છે એ કોણ કહી શકે ?
રાજકુલ
૨૮ મૂળમાં સવંતપુરાચવુવંશવસૂપ એવું રાજાનું વિશેષણ છે એમાં કુલ” અને “વંશ” એ બે એક સાથે મૂકેલા પર્યાયવાચક શબ્દોનો ખાસ ઉપયોગ જણાતો નથી. અત્યંત વિશુદ્ધ એવો જે રાજકુલ-રાવળ-વંશ તેમાં જન્મેલો” એવો અર્થ લઈએ તો “રાયકુલ” અને “વંશ” બન્ને શબ્દોની ચરિતાર્થતા છે. જણાવેલ અર્થ બરાબર હોય છે એ વિશેષણને “રાયકુલ' શબ્દ બાપ્પા રાવળના “રાવળ” વંશને સૂચક કહેવાય. રાજકુલ-રાજઉલ-રાઉલ– રાવળ બાપાને એ વંશ સુપ્રસિદ્ધ છે પણ તે વંશને ઉત્પાદક મૂળ પુરુષ કોણ અને કયારે થયે ? એ નિશ્ચિત રીતે શોધી શકાય તો આગમના ઈતિહાસ અને સમય વિશે વિશેષ અજવાળું પડે. સેતુઓ
૨૯ સેતુઓ એટલે માર્ગે અર્થાત એ રાજા માર્ગોને દેશક છે, કેતુઓ એટલે આશ્ચર્ય ઊપજાવે તેવા બનાવે–એ રાજા આશ્ચર્યકારક બનાવોને ઉત્પાદક છે. રાજાને આ બધે વર્ણક કવિસમયની ભાષામાં લખેલો છે. એથી તેને તે રીતે સમજવું જોઈએ. અથલાભ-એઠવાડ
૩૦ “આજના રાજાની પેઠે પ્રાચીન સમયના રાજાએ, અર્થ લાભના ઉપાયને કરી જાણતા એ હકીકત ખાસ વિશેષણ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org