________________
શ્રી રાયપણઈય સુર : ટિપણે ૧૬૫ જેવા મોટા મોટા આંબા તે સૌની જાણમાં છે પણ “આંબાવેલીને કેટલાક નહિ જાણતા હોય. ખેતીવાડીના પ્રદર્શનમાં ઘણા પ્રકારના આંબા આવેલા, તેમાં એક “વેલિયા આંબે’ પણ નજરે જોએલ. એ આબે પાતળા સેટી જેવો હોય અને જેમ બીજી વેલે ચડે છે તેમ તેની વેલ ચડે અને કેરીઓ પણ થાય. પાકા માર્ગો
૨૩ વનરાઈના ઉક્ત વર્ણનથી એમ સમજી શકાય છે કે આપણે ત્યાંની નગરરચનાની વિદ્યા ઘણ ઉંચા પ્રકારની હતી. ઘણા પ્રાચીન સમયમાં પણ પૂલ અને પાકા માર્ગો વગેરે સુખસાધનો લોકેના ધ્યાન બહાર ન હતાં. આઠ મંગલે
૨૪ સ્વસ્તિક શ્રીવત્સ નંદ્યાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મસ્યયુગલ અને દર્પણ એ આઠ મંગલરૂપ છે. આ સૂત્રમાં ઘણે સ્થળે આ આઠ મંગળને મંગળ તરીકે સૂચવેલાં છે. સ્વર્ગમાં દેવની સવારીમાં પણ આ જ આઠ મંગળ સર્વ પ્રથમ ચાલે છે. જે નિગંઠ લોકો દ્રવ્ય મંગળ ઉપર છે ભાર આપે છે તેઓ જ આ આઠ પદાર્થોને મંગળ તરીકે જણાવે છે તેનું કારણ સમજાતું નથી. મંદિરમાં
જ્યાં જિનભૂતિ હોય છે ત્યાં પણ આ આઠ મંગલની પાટલી પૂજાય છે તે મહદાશ્ચર્યને વિષય છે. બીજું તે ઠીક પણ “મસ્યના યુગલને મંગલ કહેવાનું શું કારણ હશે ? અથવા એ આઠ મંગળોની પાછળ કોઈ પ્રકારને વિશેષ ઈતિહાસ છુપાએલો હશે ? ખડેલા હતા
૨૫ જૂના સમયમાં લોકે “અશોકવૃક્ષને પૂજતા હશે, એ અશોકના આ જાતનું વર્ણન ઉપરથી જણાય છે. હાલમાં પણ ખીજડા વગેરેનાં વૃક્ષો ઉપર લેકે કપડાં લટકાવે છે, નાનાં નાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org