________________
૧૬૪
શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપણે
વૃક્ષો
૧૯ અહીં જે વૃક્ષો ગણવેલાં છે તેમાંનાં કેટલાંકનો અર્થ જ અવગત થતો નથી. ટીકાકાર અને ટબાકાર બને એ બાબત મૌન રાખે છે. કોશકારે “વૃક્ષવિશેષ” સિવાય બીજો અર્થ આપી શકતા નથી, માટે જ જેમનાં તેમ મૂળ નામે કાયમ રાખેલાં છે. તરુઓની
૨૦ વૃક્ષને લગતું આ બધું વર્ણન વાંચતાં તે સમયના વૃક્ષપ્રેમીઓને વૃક્ષો પ્રતિ પિતાના સંતાન જેવો પ્રેમ સહેજે જાણી શકાય એમ છે. જે લોકોમાં વૃક્ષની સાચવણી, વૃક્ષોને ઉગાડવાની પદ્ધતિનું જ્ઞાન અને વૃક્ષો પ્રતિ કાળજી ન હોય તેઓ આવાં વૃક્ષો ન ઉગાડી શકે. આજકાલ આવા વૃક્ષપ્રેમીએાના અભાવને લીધે જ દેશ સૂકો થવા લાગ્યો છે એ બેટી વાત નથી. ગંધધ્રાણિ
૨૧ “ગંધધ્રાણિ” શબ્દ ગંધની તૃપ્તિને સૂચક છે. અશોકવૃક્ષની આસપાસને વૃક્ષ કુંજ એટલો બધે મહેકતો એટલે કે જે જે જાતના સુગંધે સંભવી શકે છે તે બધાય તેમાંથી ફેરતા અને તે વડે લેકેની નાસા તૃપ્ત તૃપ્ત અને તર થઈ જતી માટે એ વૃક્ષ કુંજ ગંધધ્રાણિ' કહેવાતો. સંસ્કૃતમાં ૐ ધાતુ તૃપ્તિ અર્થને બતાવે છે. ગંધધ્રાણિ પ્રાણિ” શબ્દ એ દૈ' ધાતુથી બનેલું છે અને ભાષામાં બોલાતું “ધરાવું' ક્રિયાપદ એ દૈ'માંથી નીકળ્યું છે. “રાયસેયરની મુકિત ટીકામાં “ગન્ધદ્રાણિીને બદલે “ગન્ધદ્યાણિ એવું એવું બે ત્રણ વાર છપાએલું છે જે તદ્દન અશુદ્ધ છે. આંબાવેલ
૨૨ આ માટે મૂળમાં “ચૂયલયા” શબ્દ છે. ન્યાયના ગ્રંથમાં કેટલેક સ્થળે ઉદાહરણ માટે “ચૂતલતા” કે “આમ્રલતા” શબ્દને ઉપયોગ થયેલો છે તેનો અર્થ “આંબાવેલ” છે. ઉગેલા ઘટાદાર વૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org