________________
શ્રી રાયપણુય સુત્ત : ટિપણે
૧૬ ૩
ધૂપ માટે પણ એ જ શબ્દનો ઉપયોગ મૂળકાર કરે છે. જ્યાં સ્વર્ગીય ધૂપનું વર્ણન આવે છે ત્યાં પણ આ તો ખરાજ. આ રીતે આપણે અને આપણા દેવોને તુર્કસ્તાન સાથેનો સંબંધ કેટલો પ્રાચીન છે તે સમજી શકાય એમ છે. તુરુષ્ક-તુસકતરક. “તુષ્યો ચહેશ ૩ કાંડ, લેક ૩૧૨. “તુ રંતુ સાવચઃ યુઃ ” ૪ કાંડ, લેક ૨૫-અભિધાનચિંતામણિહેમચંદ્ર. | મુસલમાન બાદશાહો “શાહિ–શાહ' તરીકે બહુ પ્રસિદ્ધ છે. આચાર્ય હેમચંદ્ર એ “શાહ’ શબ્દનું સંસ્કૃત “સાખિ બનાવ્યું છે અને તેની સંસ્કૃત વ્યુત્પત્તિ પણ આપેલી છે. ફારસી શબ્દને વિના સંકોચે સંસ્કૃતમાં ઉતારવાની પ્રથા શિષ્ટ લેકમાં આજથી કેટલાંય વર્ષો પૂર્વે પણ પ્રચલિત હતી એમ આ ઉપરથી સમજી શકાય એવું છે. ચિત્યમાં ન
૧૭ ચિત્યનું આ વર્ણન જોતાં, તે ભારે ગમ્મતનું સ્થાન પણ હોય એમ લાગે છે. કેટલીક કથાઓમાં ચિત્યને “જુગારીઓને અખાડો” “યુવાન યુવતીઓનાં મીલનનું સ્થાને “અભિસારિકાઓનું સંકેતસ્થાન” એ રીતે વર્ણવેલું છે, તે ઉપર્યુક્ત વર્ણન જતાં બંધ બેસે એવું છે. આજકાલનાં ભારતવર્ષમાં આવેલાં-સવ સંપ્રદાયનાં તીર્થો પણ આવી જ હાલતમાં છે. એ શું તે ચિત્ય પરંપરાની અસર હશે ? પૂજા કરવા
૧૮ ચૈત્ય, ઉક્ત રીતે મેજશેખનું સ્થાન હતું છતાં ત્યાં પૂજાઆહુતિ વગેરે માટે ઘણા લોકો આવતા એમ આ વર્ણન સૂચવે છે. ચૈત્યમાં ભુજગ લેકે રહે અને ધર્મવિધિઓ પણ ચાલે એ પરિસ્થિતિથી, તે સમયના આપણું લોકેની મનોદશા ઠીક ઠીક વ્યક્ત થઈ શકે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org