________________
૧૬૨
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે
તે (ચિત્ય) શબ્દ, એમનો પણ ઘાતક થયા. શ્મશાનમાં કે એવી બીજી નિર્જન ભૂમિમાં બંધાએલા ચોતરા વગેરે સ્થળે ભૂતને વાસો હોય છે એ લોકપ્રવાદ છે, એથી “ચૈત્ય ને એક બીજો અર્થ
ભૂતનું રહેઠાણ’– વ્યંતરાયતન” પણ પ્રચલિત થયો. જૈનસૂત્રમાં તેને આ બીજો અર્થ પણ પ્રચલિત છે. પછી તે કાળક્રમે એ યૌગિક શબ્દ રૂઢ થતો ગયો અને ટીકાકારોએ પણ તેને વ્યુત્પત્યર્થ જતો કરી રૂઢ અર્થ જ સ્વીકાર્યો. અમરકોશમાં તેને અર્થ “આયતન એટલે “યજ્ઞશાળા” આપેલ છે. સૂત્રોક્ત પૂર્ણભદ્રાદિ ચિત્યોનું વર્ણન જોતાં “ચૈત્ય” ને “યજ્ઞશાળા ” અર્થ પણ અસંગત નથી. આચાર્ય હેમચંદ્ર તે તેનો “વિહાર' અને “વિશેષ વૃક્ષ” અર્થ આપે છે. પછી તો “ચેત્ય' ના અર્થો વધતા જ ચાલ્યા. “ચિત-જાણવું ” ધાતુ ઉપરથી “ચત્ય” ને નીપજાવી તેને “જ્ઞાન” અર્થ પણ કરવામાં આવે છે. વ્યાકરણની શુદ્ધ દાષ્ટએ જોતાં “ચિત ' ધાતુ ઉપરથી “ચેત્ય' ન થાય પણ “ચેત્ય' થાય અને એ “ચેત્ય” નું પ્રાકૃત રૂપાંતર “ચેઈય' ન બની શકે જે સૂત્રસાહિત્યમાં વપરાએલું છે. જુઓ–૮–૨–૧૦૭ પ્રાકૃત વ્યાકરણ. “ચિત્ત” શબ્દ ઉપરથી ચૈત્યને નીપજાવવાની પદ્ધતિ પણ બરાબર નથી. મહસ્ત
૧૫ અહીં જણાવેલ ચિત્યને વર્ણક, ઔપપાતિક સૂત્રથી લીધેલો છે. તેમાં “લોમહસ્ત ” ને અર્થ “લોમમય પ્રમાર્જન’–વાટાની પુંજણ -આપેલે છે; એ અર્થમાં “મેરપીંછી' ને પણ ભાવ સમાઈ જાય છે. તુષ્ક
૧૬ સૂત્રોમાં જ્યાં ત્યાં ધૂપનાં નામ તરીકે “કાળો અગર' “ઊંચે કિન' (દુ) અને “તુક્ક – તુષ્ક’નાં નામ આપેલાં છે. તુક’ શબ્દ “તુર્કસ્તાન સૂચક છે એટલે જ તુર્કસ્તાનમાં નીપજતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org