________________
શ્રી રાયપણઈય સુત્ત : ટિપ્પણે
૧૬૧
છે. મૂળ સૂત્રમાં સાવથી, કાકંદી, રાજગૃહ વગેરે જે જે નગરના વર્ણનની હકીકત કહેવાની હોય છે ત્યાં સૂત્રકાર કહે છે કે ઔપપાતિકમાં વર્ણવેલી “ચંપા ” પ્રમાણે તે તે નગરનું વર્ણન સમજી લેવું. અહીં પણ મૂળકારે એવી જ ભલામણ કરેલી છે. ટીકાકારે તે ભલામણ પ્રમાણે ટીકામાં નગરીને વર્ણક કાવ્યમયે ભાષામાં સેંધેલો છે.
હતી
૧૩ “ હતી” માટે મૂળમાં “હોલ્યા ” ક્રિયા બતાવેલી છે. “હતી’ અને “હત્થા વચ્ચે ઘણું જ મળતાપણું છે. “હતો, હતી, હતું” એ બધાં “હલ્યા ” નાં રૂપાંતર છે અને હત્યા,” “અભવિષ્ટ” ક્રિયાપદનું સગા ભાઈ જેવું છે.
ચૈત્ય
૧૪ જેના મૂળ સૂત્ર સાહિત્યમાં ઘણે સ્થળે “ચૈત્ય’ શબ્દને ઉપયોગ થએલો છે. કેટલેક સ્થળે તે એકલો વપરાય છે અને કેટલેક સ્થળે “અરિહંત' શબ્દ સાથે પણ તે આવે છે. ચૈત્ય ’ શબ્દ રૂઢ નથી પણ યૌગિક એટલે વ્યુત્પત્તિવાળે છે. ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી એ નીપજેલે છે. વિતાયા: જિતેઃ વિચાચા રૂમ અથવા રિત નિત્ય નિત્યચા નિવૃત્ત” એમ અનેક રીતે “ચૈત્ય'ની વ્યુત્પત્તિ વૈયાકરણએ બતાવેલી છે. ચિતા ચિતિ કે ચિત્યાને અર્થ “હ” થાય છે. એ “ચે સાથે સંબંધ ધરાવે તેનું નામ “ચત્ય” અર્થાત્ જે સ્થળે મૃતકોને અગ્નિસંસ્કાર કરવામાં આવે તે સ્થળની “ચે ની ભસ્મ વા તે ભસ્મ ઉપર કે પાસે, મૃત મહાપુરુષની સ્મૃતિ માટે સ્થાપવામાં આવતું ચિહ-શિલાપટ્ટ, વૃક્ષ, કુંડ કે સ્તુપ વગેરેચંત્ય કહેવાય. બૌદ્ધાના પાલિસાહિત્યમાં વપરાએ “ચેતિય ” અને વૈદિકના ઉપનિષદાદિમાં વપરાએલો ચૈત્ય શબ્દ, એ જ ભાવમાં પ્રતીત છે. જ્યારે એ ભસ્મ ઉપર તરા, છત્રીઓ કે નાની નાની દેવલીએ બંધાવા લાગી ત્યારે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org