________________
-
-
-
-
-
-
૧૫૮
શ્રી રાયપાસેણુઇય સુત્ત : ટિપણે
“પંન્યાસ”ની પદવી સુપ્રસિદ્ધ છે. તેમાંને “પં. ' પંડિત’નું ટુંકું રૂપ છે અને “ ન્યાસ’ શબ્દ “સ્થાપન ના ભાવને દ્યોતક છે. આ ભાવ ન સમજી શકવાને લીધે “પં. ન્યાસ” ના પ્રાકૃત રૂપાંતર ૫૦ નાસ” માંથી “પ્રજ્ઞાંશ’ ની મિથ્યા કલ્પના ઊઠી જણાય છે. ભય-સંસ્કારેલી
૨ આપણો દેશ ખેતીપ્રધાન છે, ખેતી અને પશુઓ જ આપણું અહિંસક સંસ્કૃતિનું પ્રધાન ધન છે. પ્રાચીન સમયમાં જેમ બીજા બીજા વિષયોનાં શાસ્ત્ર હતાં તેમ કૃષિવિદ્યાને લગતાં પણ હતાં. એમાં ખેતીની સાથે સીધો સંબંધ ધરાવનારા–ભૂમિ પરીક્ષા, ભૂમિને કેળવવાની પદ્ધતિ, પાણકળાની વિદ્યા, બીજરક્ષણવિધિ, વૃક્ષોના રોગ અને તેનાં ઔષધે વગેરે–અનેક વિષયોની ફુટ ચર્ચા રહેતી. માટે જ મૂળ સૂત્રકાર જણાવે છે કે “પ્રાજ્ઞલોકે ભૂમિને સંસ્કારતા-કેળવતા,” આજને ખેડુત મૂઢ ગણાય છે તેમ તે સમયના ખેડુત મૂઢ નહિ પણ “પ્રાણ” લેખાતો, એ જ, મૂળ સૂત્રને ઉક્ત ઉલ્લેખ સૂચવે છે. કૂકડા અને સાંઢ
૩ વ્યાકરણ મહાભાષ્યમાં ગામડાંઓની પરસ્પરની નિકટતાને સૂચવવા ગ્રામોના વિશેષણરૂપે “સુરસંચા: પ્રામા ” ઉદાહરણ મૂકેલું છે. ઉપર્યુક્ત વર્ણન ઉપરથી ચેકસ જણાય છે કે તે વખતના ગામે ખરેખર કુકકુટસંપત્ય જ હતાં. ‘કુકકુટસંપાય ” એટલે “કૂકડો પહોંચી શકે તેવું ગામ; ” અર્થાત એક ગામનો કૂકડો ચાલતો ચાલતો બીજે ગામ પહોંચી શકે તેટલું નજીકનું ગામ. ભીલોના પ્રદેશમાં અને મગધમાં કુકુટસંપાત્ય ગ્રામો નજરે જેએલાં છે. પયતરુણું
૪ સૂત્રનો “પપ્પતરુણી” શબ્દ વાંચીને કેાઈ ભડકી ન જાય. પપ્પતરુણીની એ સમયની સંસ્થા સમાજમાં આદરપાત્ર હતી. વાસ્યાયન પિતાના કામસૂત્રમાં જણાવે છે કે-“શીલ અને રૂપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org