________________
ટિપ્પણ
આમલકપા
૧ ભગવાન મહાવીરે જે નગરીઓમાં ચેમાસ કર્યો છે તેમાં આ નગરીનું નામ નથી, તેમ સૂત્રોમાં જણાવેલી-આર્યદેશની-રાજધાનીઓમાં આ નગરીની ગણના નથી. ભગવાને પોતાની સાધનાના કાળમાં જ્યાં જ્યાં વિહાર કર્યો છે તેમાં પણ “આમલકપા” ને. ઉલ્લેખ નથી, તેથી “આમલકમ્પા” નગરી વિશે કાંઈ વિશેષ જાણવા જેવી નોંધ નથી મળતી. સ્થિતપ્રજ્ઞ થયા પછી ભગવાને જે વિહાર કર્યો છે તેમાં આ નગરીની ગણના થઈ શકે એમ છે એ, આ “રાયપસેલુઈય” ના ઉલ્લેખથી સુચિત થાય છે. આ નગરી હાલમાં ક્યાં છે ? તેનું વર્તમાન નામ શું છે ? એ, મગધદેશમાં છે કે બીજા કોઈ દેશમાં છે ? એ બધી બાબતે અદ્યાવધિ અંધારામાં જ છે.
ટીકાકાર મલયગિરિ “આમલકમ્પા'ને સંસ્કૃત પર્યાય “આમલકલ્પા” જણાવે છે. આ સૂત્રમાં જે જે વિશેષ નામ આવે છે તે જેમનાં તેમ–પ્રાકૃત–રાખીને અનુવાદમાં પ્રજ્યાં છે. કેઈપણ પ્રામાણિક આધાર વિના મૂળ પ્રાકૃત નામનું સંસ્કૃત રૂપાંતર કરવા જતાં અર્થાંતર થવાનો ભય રહે છે.
“રાયપાસેણઈય” નું સંસ્કૃત ૫ મલયગિરિ “રાજપ્રશ્રીય ” જણાવે છે ત્યારે તેમનાથી પ્રાચીન આચાર્ય સિદ્ધસેને (તત્ત્વાર્થટીકાકાર) આ સૂત્રનું સંસ્કૃત નામ “રાજપ્રસેનકીય” નેંધેલું છે અને વાદિદેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિએ દેવેંદ્રનરકેન્દ્રપ્રકરણમાં “રાજપ્રસેનજિત’ જણાવેલું છે.
આ બધામાં કોણ કઈ રીતે ખરું છે એ એક શોધને વિષય છે, પરંતુ આ વ્યર્થ વિવાદ ન ઊઠે માટે જ મૂળ નામની પ્રથા સાચવી રાખવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org