________________
૧૫૪
શ્રી રાયપાસેય સુત્ત
બહોતેર કલાનિપુણ, અઢાર ૧દેશીભાષાવિશારદ, ગીતનૃત્યરસિક, નાટયકળાવિદ, એ દઢપ્રતિજ્ઞ યૌવનમાં આવતાં તેનાં માતાપિતા તેને ભેગસમર્થ જાણ એમ કહેશે કે, હે ચિરંજીવ ! તે યુવાન થયું છે માટે હવે તું કામભેગોની આ વિપુલ સામગ્રીને ભગવ.
દઢપ્રતિજ્ઞ પિતાનાં માતાપિતાને વિનયપૂર્વક જણવશે કે, હે માતાપિતા ! ભેગોની એ સામગ્રીમાં મને જરાય રસ નથી, અર્થાત્ તે એ ભેગસામગ્રીથી લલચાશે નહિ, ખેંચાશે નહિ, તેમ તેમાં લેશ પણ આસક્તિ રાખશે નહિ.
જેમ કમળ પંકમાં પેદા થાય છે અને પાણીથી વધે છે, છતાં પંક કે પાણીથી લેપાતું નથી, તેમ કામમાં પેદા થએલો અને ભેગમાં વધે એ દઢપ્રતિજ્ઞ તે કામગોથી જરા પણ લેપાશે નહિ.
પણું તથા ઉત્તમ સ્થવિરો પાસેથી બેધિજ્ઞાનને મેળવશે અને અગારને ત્યજી મુંડ થઈ અનગાર ધર્મને સ્વીકાર કરશે.
૨૫૮ પછી તો તે પૂર્ણ અહિંસા સત્ય ત્યાગ તપ અને સદ્વર્તનના તેજથી ચમકશે અને છેવટે ઉત્તમેત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર આર્જવ માર્દવ લઘુતા ક્ષમા નિર્લોભતા વગેરે ગુણેથી અધિકાધિક દીપતે તે, અનુત્તર અનંત નિરાવરણ નિર્વાઘાત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામશે.
- હવે તે તે દઢપ્રતિજ્ઞ અહંન જિન ભગવાન કેવળી કહેવાશે અને જેમાં દેવે મનુષ્ય તથા અસુરો રહે છે એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org