________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૫૩
તેઓ પોતાના પુત્રના લાલનપાલન માટે પાંચ ધાત્રીઓની ચેજના કરશેઃ એક બાળકને ધવરાવનારી, બીજી ત્પવરાવનારી, ત્રીજી શણગારનારી, એથી ખોળામાં લઈ ફરનારી અને પાંચમી રમાડનારી.
એ ઉપરાંત ત્યાં ઘરકામ માટે રોકવામાં આવેલી, પિતપતાના દેશને પોષાક પહેરનારી, ઇંગિત ચિંતિત અને પ્રાથિતને સમજનારી, એવી દેશવિદેશની બીજી પણ અનેક કુશળ દાસીઓ૧૫૭ દ્વારા અને અંતઃપુરના રક્ષણ માટે ચેજાએલા વર્ષધરે૫૮ કંચુકીઓ તથા મહત્ત દ્વારા એ બાળકનું ઘણું સારી રીતે લાલનપાલન થશે; કે તે બાળકને હાથે હાથ ફેરવશે, કોઈ તેની પાસે નાચશે, કોઈ તેનાં ગીત ગાશે, કોઈ તેને બચી લેશે, એ પ્રકારે અનેક રીતે લાલિત પાલિત થતા તે બાળક ચંપાના છોડની જેમ સુખે સુખે દિનદિન વૃદ્ધિ પામશે.
૨૫૭ પુત્રને નવમું વરસ બેસતાં તેનાં માતાપિતા, ન્ડવરાવી બલિકર્મ કરાવી સારી રીતે શણગારી શુભ મુહૂર્તમાં મેટા ઉત્સવ સાથે કલાચાર્ય પાસે કલાઓ શીખવા મોકલશે.
કલાચાર્ય બહોંતેર કળાઓને૧૫૯ પ્રયોગ સાથે શીખવાડી માતાપિતા પાસે તે પુત્રનું ઉપનયન કરશે.
દઢપ્રતિજ્ઞને કલાઓ સંબંધી અભ્યાસ જોઈ માતાપિતા કલાચાર્ય ઉપર ખુશ થશે અને વિશિષ્ટ ખાનપાન વસ્ત્ર ગંધ માલા અલંકારેવડે કલાચાર્યને સત્કાર કરશે તથા જીવનપર્યત ચાલે તેવું વિપુલ પ્રીતિદાન દઈ તેમને વિસજિત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org