________________
૧૫૨
શ્રી રાયપાસેણય સુર ૨૫૬ એ પુત્રપણે ગર્ભમાં આવતાં જ તેનાં માતાપિતાની ધર્મમાં દઢતા થશે.
પૂરા નવ માસ અને સાડા સાત દિવસ જતાં તે બાળકને ત્યાં જન્મ થશે.
જન્મ થયા પછી પહેલે દિવસે તેનાં માતાપિતા બાળકના જન્મને ઉત્સવ કરશે, ત્રીજે દિવસે ૧૫સૂર્યચંદ્રનાં દર્શન કરશે, છઠ્ઠ દિવસે ધર્મજાગરણ ઊજવશે, એમ અગ્યાર દિવસ વીતી જતાં અને બારમે દિવસ આવતાં બાળકના જન્મનું સૂતક કાઢી નાખશે અર્થાત્ તેનાં માતાપિતા ચેકખાં થશે, પછી બધે લીંપણઝુંપણ કરી ભેજનની વિપુલ સામગ્રી તૈયાર કરાવશે અને પોતાનાં સગાં સંબંધી મિત્ર જ્ઞાતિજન સ્વજન પરિજન વગેરેને આમંત્રી ન્હાઈ ધોઈ બલિકમ કરી બધાં સાથે બેસીને ભજનમંડપમાં ભેજન કરશે.
પછી તે પુત્રનાં માતાપિતા, વસ્ત્ર ગંધ માલા અને અલંકારવડે આમંત્રિત જનને સત્કાર કરશે, સન્માન કરશે અને તેઓની સમક્ષ એમ કહેશે કે આ બાળક તેની માતાની કુક્ષિમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢ પ્રતિજ્ઞાવાળાં થયાં છીએ, માટે અમે તેનું દઢપ્રતિજ્ઞ” એવું યથાર્થ નામ પાડીશું.
એ પ્રકારે નામસંસ્કાર થયા બાદ સમય આવતાં બાળકનાં માતાપિતા તેના પ્રજેમનક પ્રતિવર્યાપનક પ્રચંક્રમણ કર્ણવેધ સંવત્સરપ્રતિલેખ અને ચૂલેપનયન વગેરે બધા સંસ્કાર કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org