________________
શ્રી રાયપણુઈય સુત
૧૫૧ વળી, આ શરીર જે મને અત્યંત વહાલું છે તેને પણ છેલ્લા શ્વાસે છુવાસ ચાલતાં સુધી સરાવી દઉં છું.
૨૫૪ એમ કરીને તે રાજાએ પોતાના સારા નરસાં બધાં કાર્યોની આલોચના કરી, પ્રતિકમણા કરી અને તેણે કાલમાસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૌધર્મક૯૫ના સૂર્યાભવિમાનમાં સૂર્યાભદેવરૂપે અવતાર મેળવ્યું. તે ત્યાં હિમણાં તાજો ઉત્પન્ન થએલે સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓ દ્વારા શરીરાદિકની પૂર્ણતા મેળવે છે, તે હે ગૌતમ! આ સૂર્યાભદેવે એ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવશક્તિ અને દિવ્ય દેવપ્રભાવ એ રીતે મેળવેલાં છે.
૨૫૫ હે ભગવન્! સૂર્યાભદેવની જીવનસ્થિતિ આયુષ્યમર્યાદા કેટલા કાળસુધીની જણાવેલી છે ?૧૫૫
હે ગૌતમ ! તેની આયુષ્યમર્યાદા ચાર પોપમની કહેલી છે.
હે ભગવન્તે સૂર્યાભદેવ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી કયાં જવાનો-કયાં જન્મ લેવાને ?
હે ગૌતમ! સૂર્યાભદેવ, તેને દેવત્વકાળ પૂરો થતાં મહાવિદેહવર્ષમાં જન્મ લેવાનો. મહાવિદેહવર્ષમાં જે કુળો આઢય છે, દીસ છે, લેવડદેવડના વ્યાપારમાં કુશળ છે, જેમની પાસે ભવન, શયન, આસન, ચાન, વાહન, ધન, સેનું અને રૂપું વિશેષ છે, ખાનપાનની સગવડ અધિકાધિક છે, દાસદાસીઓ ગાય અને ઘેટાં ઘણાં છે, એવા પ્રસિદ્ધ અને કેઈથી પરાભવ ન પામનાર કુળમાં તે સૂર્યાભદેવ પુત્રપણે અવતરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org