________________
શ્રી રાયપસેય સુત્ત
જમવા આન્યા, તેવું જ તેને તેણીએ એ વિષમય ભેાજન પીરસ્યુ, વિષમય વસ્ત્રો પહેરાવ્યાં, વિષયમય માળા આપી અને વિષમય શણગાર સજાવ્યા.
૧૫૦
એમ થતાં રાજા પએસીના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી અને વિષમ પિત્તજવરનું જોર વ્યાપતાં, નહિ સહી શકાય તેવી ભારે ખળતરા થવા લાગી.
૨૫૩ રાજા તે સમજી ગયા કે પેાતે રાણીના કાવતરાથી ઠંગાયા છે, છતાં તેણે રાણી ઉપર લેશ પણ ૧૫૪રાષ ન આણુતાં પાધરા પાષધશાળા તરફ જવાના મનસુબે કર્યાં. ત્યાં જઇ તેને પૂજી પ્રમાઈ તથા શૌચની અને લઘુશંકાની જગ્યાને તપાસી પછી તે પૂર્વાભિમુખ થઇ ડાભના સંથારામાં પલ્ય’કાસને સ્થિર બેઠા અને હાથ જોડી માથુ નમાવી આ પ્રમાણે એક્લ્યાઃ
અરહુ ત ભગવાને નમસ્કાર.
મારા ધર્માચાય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણને નમસ્કાર. અહીં રહી તેમને વંદન કરતા અને ભગવત કેશી કુમારજી જુઓ, હું તેમને વારંવાર વાંદું છું-નમું છું. મે પહેલાં એ મારા ધર્માચાર્ય પાસેથી સ્થૂલ પ્રાણાતિપાત વગેરેના ત્યાગથી પ્રતિજ્ઞા લીધી હતી અને હમણાં પણ તેમની જ સાક્ષીમાં સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગના નિયમ લઉં છું, ક્રોધ માન માયા અને લેાભ વગેરે કષાયા છોડી દઉં છું, નહિ કરવા જેવું બધું કાય તજી દઉં છું અને જીવતાંસુધી ચારે પ્રકારના આહારના પણ પરિત્યાગ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org