________________
-
-
--
-
૧૪૮
શ્રી રાયપણુઈય સુત્ત
હે ભંતે ! તમે જણાવેલાં ઉદાહરણેની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણય નહિ થઉં. મેં તે એ વિચાર કર્યો છે કે હાલ મારા તાબામાં સેવિયા પ્રમુખ
જે સાત હજાર ગામે છે તેના ચાર ભાગ પાડું એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સેંડું, એક ભાગ કોઠાર માટે રાખું, એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિર્વાહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કૂટાગારશાળા બનાવું, તેમાં અનેક પુરુષોને પગારદાર, પેટવડિયે કે ભાડે રોકી ખાનપાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું, તથા હું શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષધેપવાસદ્વારા જીવનયાપન કરતે રહું. હે ભતે ! મારી આ ધારણા છે.
એમ કહી તે રાજા પિતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પિતાને સ્થાનકે ચાલ્યા ગયે.
નગરીમાં આવી રાજાએ જે ધારણ કશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પિતે પણ તે રીતે આચરવા લાગ્યો.
૨૫૦ હવે તે રાજા પએસી શ્રમણોપાસક થયે, જીવ અજીવ વગેરે તનું તેને ભાન થયું, એ પ્રવૃત્તિ સવની જેમ ઓછી બને અને સંવરમાં જેમ અધિક રહેવાય તેમ તે વર્તવા લાગ્યું, એટલે રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, ભંડાર, કોઠાર, ગામ નગર અને અંતઃપુર તરફ તેનું ધ્યાન આપે આપ ઓછું રહેવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org