________________
૧૪૭
શ્રી રાયપાસેઈય સુત્ત રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલે કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકે ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણું લાગે છે.
નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકે હસતા રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજા ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે
શેરના વાઢમાં ચિચેડા ચાલતા હોય, શેરડી પીલાતી હાય, લેકે તેને રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય વા દેતા હોય, ત્યારે તે વાઢ ભર્યો ભર્યો–રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિચેડા બંધ હોય, શેરી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે–અળખામણે દીસે છે.
ઓળના વાડામાં જ્યારે ઘાણીએ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજ પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણુઓ જ બંધ હોય, કેઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ છે પએસી! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમય ન થતું.
૨૪૯ રાજા પએસી બેલ્યો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org