________________
શ્રી રાયપસણય સુર
૧૪૫
સેયવિયા નગરી ભણું જવાને મનસૂબો કર્યો. એટલામાં કેશી શ્રમણ બોલ્યા : પોએસી ! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધર્માચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી કરવાની હોય છે, તેની પણ તને ખબર છે.
૨૪૬ એસી બોલ્યો –
હે ભંતે! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું, તેમને હુવરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી, વસ્ત્રો અને ઘરેણું ગાંઠો આપી સારી રીતે શણગારવા, આદરપૂર્વક જમાડવા, મેટું પ્રીતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રના પુત્ર સુધી પહોંચ્યા કરે.
અને ધર્માચાર્યને જોતાં તેમને વંદન કરવું, સત્કાર કરો, દેવતાના ચૈત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિર્દોષ પદાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શય્યા સંથારે વગેરે લઈ જવા નિમંત્રિત કરવા.
હે પૂએસી! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વર્તન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલે બધે ઉતાવળે કેમ થયે છે?
૨૪૭ રાજા બે –
હે ભતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વત્યે છું એ ખરું, પણ એ વિષે મેં એ વિચાર કર્યો છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org