________________
૧૪૪
શ્રી રાયપસણુઈય સુત્ત
બત્રીસ પ્રકારનાં નાટકે, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લે હું વેચી ઘણું ઓછું કમાયે અને તેમના એ સાથીઓને વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યું. હું કે હીનપુણ્ય છું, કેવાં માઠાં લક્ષણવાળે છું, મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તે આજે હું પણ એમના જેજ વૈભવ માણત. હે પએસી! તું પણ તારે દુરાગ્રહ ન છીશ, તે એ લોઢાના ભારાવાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને તેની પેઠે દીનહીન થવું પડશે.
કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશ કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે ! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છેવને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની-સમજવાની ઈચ્છા રાખું છું, માટે હવે મારે પેલા લેઢાવાળાની પેઠે પસ્તાવાનું ક્યાં રહ્યું?
કેશી શ્રમણ બોલ્યા -
હે દેવાનુપ્રિય ! સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે.
રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યું હતું, તેમ રાજા પએસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org