________________
૧૪૨
શ્રી રાયપરોણીય સુત્ત
એકલોજ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા છે, એટલે મારી એ સમજ કુલપરંપરાની સમજ છે, બહપુરુષપરંપરાથી ચાલી આવેલી છે, તે હે ભંતે ! મારા કુલની એ દષ્ટિને હું શી રીતે છેડી શકું?
કેશી શ્રમણ બોલ્યા:
હે પસી ! તારી એ સમજને તું નહિ બદલાવીશ, તે પેલા લેઢાને ભારે નહિ છોડનારા કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે.
૨૪૫ રાજા બે –
ભંતે ! લોઢાને ભારે નહિ છેડનારે કદાગ્રહી પુરુષ વળી કોણ હતું અને તેને પસ્તાવું કેમ પડ્યું ?
કેશી કુમાર બોલ્યા –
પએસી ! કેટલાક ધનાથ લેકે વિપુલ કરીયાણું ભરીને અને સાથે ઘણું બધું ભાતું લઈને, જ્યાં કેઈ આવેલું નહિ એવી એક મોટી લાંબી અટવીમાં જઈ ચઢ્યા. ત્યાં કઈ એક સ્થળે પહોંચતાં તેમણે જેમાં ઘણું લે હું દટાએલું છે એવી એક મોટી લોઢાની ખાણ જોઈ.
ખાણને જોતાંજ ખુશીમાં આવી જઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આ લેટું આપણને વિશેષ ઉપયોગી છે, માટે તેને ભારા બાંધી લઈ જવું સારું છે.
એમ વિચારી તેઓ લોઢાના ભારા બાંધી તેમને ઉંચકી એજ અટવીમાં આગળ ચાલ્યા.
ચાલતાં ચાલતાં, જેમાં ઘણું સીસું ભરેલું છે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org