________________
શ્રી રાયપણુઇય સુત્ત
૧૪૧
હે ભતે તમે એમ કેમ કહે છે કે હાથીને અને કંથવાને જીવ એક સરખે છે?
કેશી કુમાર બેલ્યા -
હે પએસી! તું એમ ધાર કે ઘુમ્મટદાર અને શિખરાકાર એક મોટી ઓરી હોય, તેમાં કઈ પુરુષ દવે લઈને પેસે અને પછી એ તે ઓરડીનાં બધાં બારી બારણું બરાબર બંધ કરી દે અને એનાં બધાં છિદ્રો છાંદી દે, તો એ દીપકને પ્રકાશ, એ આખીયે ઓરીને અજવાળશે પણ બહારના ભાગને નહિ અજવાળે; કેમ ખરુંને ? એ રીતે, એ દીપક ઉપર કઈ માટે થાળ ઢાકે અથવા મોટું ડાલું ઢાંકે, તે તે દીપકને પ્રકાશ તે તે ઢાંકણના અંદરના ભાગને પ્રકાશશે પણ બહાર નહિ પ્રકાશે, અર્થાત્ બધે દીપક તે એકજ છે પણ તે મેટા ઢાંકણ નીચે હોય તો વધારે ભાગમાં પ્રકાશે છે અને નાના ઢાંકણ નીચે હોય તે ઓછા ભાગને પ્રકાશે છે. તેજ ન્યાયે, હે પએસી ! આ જીવ પણ જેવડા–મોટા કે નાના–શરીરને મેળવે છે, તેવડા શરીરના બધા ભાગોને પોતાના અસંખ્ય આત્મપ્રદેશદ્વારા સચિત્ત કરી શકે છે, પછી ભલેને શરીર મેટામાં મોટું હોય કે નાનામાં નાનું હોય; માટે છે પસી ! તું એમ સમજ કે હાથીને અને કંથવાને જીવ એક સરખે છે અને તું એમ પણ માન કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી.
૨૪૪ રાજા બેઃહે ભંતે ! “જીવ અને શરીર એક છે” એવું હું કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org