________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧૩૯
નથી. કેટલાકે કશુંય દેતા નથી તેમ વાણી પણ મીઠી નથી રાખતા. અને કેટલાક દે છે અને સાથે વાણું પણ મધુરી બોલે છે. હે પએસી આ ચાર વ્યવહારમાં જે દેતો નથી અને વાણીયે મીઠી નથી બેસતો, તે તદ્દન અવ્યવહારી છે અને બાકીના ત્રણે વ્યવહારના જાણકાર છે.
હે પએસી! એ રીતે તું પણ વ્યવહારી૧૫૦ છે, કાંઈ અવ્યવહારી નથી.
૨૪૨ પએસી બેલ્યો -
હે ભંતે! તમે દક્ષ છે, બુદ્ધ છે, વિજ્ઞાની છે, તો જેમ કેઈ આમળાને હથેળીમાં બતાવે, તેમ તમે મને જીવને ન બતાવી શકે?
રાજા પએસીએ એ પ્રશ્ન કર્યો તેટલામાં તેની પાસેજ જેરથી વાયુ વાવા લાગે, તેથી તૃણ અને વનસ્પતિઓ બધું હાલવા લાગ્યું, કંપવા લાગ્યું, પરસ્પર અથડાવા લાગ્યું અને નવા નવા આકારે ઊડવા લાગ્યું.
તે વખતે લાગ જોઈને કેશી મુનિએ રાજા પઝેસીને કહ્યું કે-હે પોએસી ! જે આ તૃણે અને વનસ્પતિઓ કંપે છે તે તે તું જુએ છે ને? તે શું એને કેઈ દેવ હલાવે છે? દાનવ, નાગ, કિન્નર, પિંપુરુષ, મહારગ કે ગાંધર્વ હલાવે છે ?
પએસી બેલ્યો –
હે ભંતે ! એ તૃણ વગેરેને તે વાયુજ હલાવે છે, પણ કેઈ દેવ દાનવ કે કિન્નર હલાવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org