________________
શ્રી રાયપસેલુઈય સુત્ત
૧૩૭ પછી એ દક્ષ પુરુષે કુહાડે લઈ લાકડામાંથી ઘસણિયું શર બનાવ્યું અને એ શરને અરણી સાથે ઘસી અગ્નિ ઉપજાવી અગ્નિને સંધૂકીને તે બધાઓની રસોઈ કરી નાંખી. એટલામાં નહાવા ધોવા ગએલા બધા સાથીઓ આવી પહોંચ્યા. સૌ સાથે જમી કરીને ચોકખા થઈ ભેળા મળીને વાતો કરવા બેઠા. રાઈની વાત નીકળતાં પેલા દક્ષ પુરુષે પેલા ઉદાસ થયેલા સાથીને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અગ્નિને શધવા માટે તે લાકડાં ફાડી ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ છે, મૂઢ છે અને તદ્દન અજ્ઞાન છે.
હે પએસી ! એ અગ્નિશેાધક કઠીયારાની પેઠે તે પણ જીવને શેાધવા–જોવા–માટે શરીરને ચીરી ચીરીને જોવાનું પાછું વળ્યું, તેથી તું પણ એના કરતાં કાંઈ ઓ છે મૂઢ નથી.
૨૪૦ ૫એસી બેદ
હે ભતે ! તમારા જેવા જ્ઞાની બુદ્ધ મહામતિ વિજ્ઞાની અને વિનીત પુરુષ આવી મોટી સભા વચ્ચે મારા પર આકોશ કરે, ખીજાઈ જાય, અને મારી નિર્ભના કરે એ શું ઠીક કહેવાય ?
કેશી શ્રમણ બોલ્યા -
પએસી ! તને ખબર છે કે ક્ષત્રિયપર્ષદા ગૃહપતિપર્વદા બ્રાહ્મણ૫ર્ષદા અને ઋષિપર્ષદા એમ ચાર પ્રકારની પર્ષદાઓ છે. એ ચારે પર્ષદાઓની દંડનીતિને પણ તું ક્યાં નથી જાણતો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org