________________
=
૧૩૬
શ્રી રાયપાસેણીય સુત્ત
એથી તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડું હાથમાં લઈ ચારે બાજુ તપાસી જોયું પણ તેમાં તેને તે કયાંય ન કળાયે. પછી તે તેણે હાથમાં કુહાડે લઈ લાકડું ચીરી નાખ્યું છતાં તેમાંય અગ્નિ ન દીઠે. છેવટે તેણે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તે દરેકને તપાસી જોયા, છતાંય તેમાં એકેમાં અગ્નિનું નિશાન પણ ન ભાળ્યું. આખરે થાકી કંટાળી તે બિચારે ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેઠે અને હજુ સુધી હું રાંધી ન શક” એ બાબત અફસોસ કરવા લાગે.
એટલામાં જે સાથીઓ લાકડાના ભારા લેવા ગએલા હતા તે બધા પાછા ફર્યા અને આ બિચારાને ચિંતાતુર થએલે દીઠે.
તેઓએ પૂછ્યું: હે દેવાનુપ્રિય! તું ઉદાસ કેમ બેઠે છે? હજુ સુધી તે અમારા સારુ ખાવાનું નથી રાંધ્યું ?
તેણે જણાવ્યું કે, હે ભાઈઓ! તમારા ગયા બાદ થવારમાં જ તમેએ આપેલે એ અગ્નિ તે ઓલવાઈ ગયે. પછી હું તમારા કહેવા પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડાને તપાસવા લાગ્યું. લાકડાને ચીરી, તેના નાના નાના કટકા કરી તપાસી જોયું, તે તેમાં અગ્નિ તે કયાંય ન જોવામાં આવ્યું. તેથી અગ્નિ વિના હું રાંધું શી રીતે ? એ માટેજ આમ અફસમાં પડ્યો છું.
પછી તેઓમાંના જ કે દક્ષ પુરુષ સાથેના બીજા બધા ભાઈઓને કહ્યું કે, તમે બધા નાહી ધોઈને બલિકર્મ કરી તૈયાર થઈને આવે, હું હમણાં જ રસોઈ બનાવી નાખું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org