________________
-
શ્રી રાયપાસેણદય સુત્ત
૧૩૫ વામાં આવ્યું, તેમાં જીવ છે કે નહિ એ જાણવા મેં તેને ચારે બાજુ તપાસ્ય, પણ જીવ તો કયાંય દીઠામાં ન આવ્યો.
પછી મેં તેના બે ઊભા ચીરા કરી તેને ફરીવાર જે, છતાંય જીવ તે ન જ દેખાયો. પછી તે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તેને વારંવાર તપાસી જોયે, છતાંય તેમાં ક્યાંય જીવનું નિશાન પણ ન જણાયું. માટે હું કહું છું કે જીવ અને શરીર એક છે પણ જુદાં જુદાં નથી.
કેશ કુમારમુનિ બોલ્યાઃ
હે પએસી પેલા કઠીયારા ૧૪૯ કરતાંય તું વિશેષ મૂઢ જણાય છે.
હે ભંતે! એ કઠીયારે વળી કોણ હતા ?
પએસી ! અગ્નિ અને અગ્નિ રાખવાનું ઠામ સાથે લઈ કેટલાક વનજીવી લોકો વનની શોધ માટે નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં તેઓ જેમાં ઘણાં લાકડાં છે એવી એક મેટી અટવી પાસે આવી પહોંચ્યા. એવામાં તેમાંના કેઈએ પોતાના સાથના માણસને કહ્યું કે, હે દેવાનુપ્રિય! અમે લાકડાઓની ભરેલી આ અટવીમાં જઈએ છીએ. તું આ અગ્નિ અને અગ્નિનું ઠામ લઈ જા અને અમારા માટે ખાવાનું રાંધી રાખજે. કદાચ કેઈ કારણથી આ અગ્નિ ઓલવાઈ જાય તે તું લાકડામાંથી અગ્નિ લઈને અમારું ખાવાનું રાંધી રાખજે.
તેમના ગયા બાદ થી વારે રાંધવાની શરુઆત કરવા જતાં પેલા સાથીએ અગ્નિને ઓલવાઈ ગયેલે દીઠે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org