________________
૧૩૨
શ્રી રાયપણુઈય સુત્ત ત્યારે એવી કુશળતા ધરાવી શકતું હોત તો હું એમ માનત કે જીવ જુદો છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક ૧૪૭ એવી કુશળતા બતાવી શકતે નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે.
કેશી કુમાર બોલ્યા -
હે પસી ! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જૂનું ખવાઈ ગએલું ધનુષ તેવી જ દોરી અને તેવું જ બૂઠું ફળું હોય, તે તે એક સાથે પાંચ ફળને ફેંકી શકે ખરા ?
ભંતે! ન ફેંકી શકે.
હે પએસી ! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણની ન્યૂનતા-ખામી–ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડતરૂપ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળા બાળક જ્યારે તરુણ થઈ આવડતરૂ૫ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી ઉઠે છે, પણ તેથી તું એમ ન માન કે શરીર અને જીવ બને એક છે. પએસી ! એ બને તે જુદાં જુદાં છે.
ર૩૭ પએસી – હે ભંતે ! જેમ કોઈ તરુણ પુરુષ, લોઢાના સીસાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org