________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧૨૯
લોઢાનું ઢાંકણું સજજડ ઢાંકી દઉં, તેને લોઢા તથા સીસાના રસથી રેવરાવી દઉં અને તેના ઉપર મારા વિશ્વાસુ સૈનિકોની ચેકી મૂકી તે લેહકુંભીની સાચવણ કરાવું.
પછી વખત જતાં હું પોતે જાતે તે કુંભીને ખેલાવું તે તેમાં પેલા પૂરેલા પુરુષને મરેલે જઉં છું. જીવ અને શરીર જુદાં જુદાં હોય તો એ પુરુષને જીવ કુંભીમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કયાંય રાઈ જેટલું પણ કાણું નથી, જેથી જીવને બહાર જવાને માર્ગ મળી શકે. કુંભી ક્યાંય જરા પણ કાણું હોત તે એમ માની પણ શકાત કે જીવ બહાર નીકળી ગયો છે અને તેથી એમ પણ ઠરત કે શરીર અને જીવ જુદાં જુદાં છે, પણ આ કુંભી તે કયાંય કાણી જ નથી એટલે જીવ જુદે હોય તે એમાંથી નીકળી શી રીતે શકે? માટે જીવ અને શરીર બને એક છે અને શરીર અક્રિય થતાં જીવ પણ અક્રિય થાય છે, એ મારું ધારવું બરાબર છે.
કેશી કુમારશ્રમણ બોલ્યાઃ
હે પએસી! તું એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી એરી હોય, જે ચારે કેર લીંપેલી હોય, જેનાં બારણાં સજજડ વાસેલાં હોય અને જેમાં જરાય હવા પણ ન પેસી શકે એવી તે ઉડી હોય, તેમાં કઈ પુરુષ ભેરી અને એને વગાડવાને દડે લઈને પેસે, પેસીને એનાં બારણાં સજજડ રીતે બંધ કરે, પછી તે, ઓરીની વચ્ચે વચ્ચે બેસીને મોટા મોટા અવાજથી એ ભેરીને વગાડે, તે હે પએસી ! ભેરીને એ અવાજ બહાર નીકળે ખરે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org