SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપણુય સુત્ત ૧૨૭ પએસી છે : હે ભંતે ! હું એવું કશું કાને ન ધરું અર્થાત્ એક ક્ષણ માટે પણ પાયખાનામાં ન જઉં. હે ભંતે ! પાયખાનું તો ભારે ગંદું છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું? કેશી કુમારશ્રમણ બોલ્યાઃ એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ થએલી તારી દાદી અહીં આવી તને પિતાનાં સુખે કહેવાને ઈછે, તેપણ આવી શકે નહિ. ૨૩૩ સ્વર્ગમાં તાજો ઉત્પન્ન થએલે દેવ, મનુષ્યલોકમાં આવવાને તે ઈચ્છે છે, પણ નીચેનાં ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. એ દેવ, સ્વર્ગના દિવ્ય કામમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીસુખમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે. એ દેવને મનુષ્ય સાથે પ્રેમસંબંધ તૂટી ગએલે . હોય છે અને સ્વર્ગનાં દેવદેવીઓ સાથેને ન પ્રેમસંબંધ તેમાં સંકમેલ હોય છે, એ બીજું કારણ છે. દિવ્ય કામસુખ ભોગવવાની લાલચમાં પડેલો એ દેવ, ૧૪૩“અબ ઘડીએ જઉં, અબ ઘીએ જઉં એમ વિચારે તે છે, પણ તેના આવતાં આવતાં તે મનુષ્યલેકનાં તેનાં અલ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘી એટલે આપણાં હજારો વર્ષ અર્થાત્ એની એક ઘીમાં તે આપણી કેટલીએ પેઢીએ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું ક૯પી લઈએ તોપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy