________________
શ્રી રાયપણુય સુત્ત
૧૨૭
પએસી છે :
હે ભંતે ! હું એવું કશું કાને ન ધરું અર્થાત્ એક ક્ષણ માટે પણ પાયખાનામાં ન જઉં. હે ભંતે ! પાયખાનું તો ભારે ગંદું છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું?
કેશી કુમારશ્રમણ બોલ્યાઃ
એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ થએલી તારી દાદી અહીં આવી તને પિતાનાં સુખે કહેવાને ઈછે, તેપણ આવી શકે નહિ.
૨૩૩ સ્વર્ગમાં તાજો ઉત્પન્ન થએલે દેવ, મનુષ્યલોકમાં આવવાને તે ઈચ્છે છે, પણ નીચેનાં ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી.
એ દેવ, સ્વર્ગના દિવ્ય કામમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીસુખમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે.
એ દેવને મનુષ્ય સાથે પ્રેમસંબંધ તૂટી ગએલે . હોય છે અને સ્વર્ગનાં દેવદેવીઓ સાથેને ન પ્રેમસંબંધ તેમાં સંકમેલ હોય છે, એ બીજું કારણ છે.
દિવ્ય કામસુખ ભોગવવાની લાલચમાં પડેલો એ દેવ, ૧૪૩“અબ ઘડીએ જઉં, અબ ઘીએ જઉં એમ વિચારે તે છે, પણ તેના આવતાં આવતાં તે મનુષ્યલેકનાં તેનાં અલ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘી એટલે આપણાં હજારો વર્ષ અર્થાત્ એની એક ઘીમાં તે આપણી કેટલીએ પેઢીએ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું ક૯પી લઈએ તોપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org