SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ - - --- ------ -- ૧૨૪ શ્રી રાયપણુઈય સુત્ત સૂર્યકાંતાના સંગમાં પડ્યા તેથી મરણની આ સખત સજા પામ્યો છું, માટે હે દેવાનુપ્રિયે ! તમે ભૂલેચૂકેયે પણ એવા પાપાચરણમાં ન પડશે, પડશે તે મારી પેઠે ફાંસીની સજા પામશે. હે પસી ! એ પુરુષનું કાકલુદીથી ભરેલું આવું ગળગળું વચન સાંભળીને તું તે કામુકને સજા કરતાં ઘવક પણ થોભી જઈશ ખરો? હે ભંતે ! એમ તો ન જ બને. એ કામુક મારે અપરાધી છે માટે લેશ પણ ઢીલ કર્યા વિના હું તેને પાધરેજ ફાંસીએ ચડાવી દઉં. એજ પ્રમાણે, હે એસી ! નરકમાં પડેલે તારો દાદે પરતંત્રપણે જે દુઃખ ભોગવી રહ્યો છે તે તને–વહાલા પૌત્રને કહેવા ન આવી શકે. મનુષ્યલોકમાં જઈને પાપકર્મનાં માઠાં ફળની સૂચના કરી આવવાની એની તો ઘણય ઈચ્છા હોય, પણ તે પેલા અપરાધી પુરુષની પેઠે ત્યાંથી છૂટેજ થઈ શકતો નથી. ૨૩૦ નરકમાં તાજેજ આવેલ અપરાધી–નારકી, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ નીચેનાં ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. ત્યાંની-નરકની ભયંકર વેદનાનો અનુભવ તેને અત્યંત વિહુવલ કરી નાખે છે અને તેથી તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે, એ પ્રથમ કારણ છે. નરકના કઠોર સંત્રીઓ એ નારકીને ઘડીભર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy