________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૨૩
છે, માટે ભૂલ્ય ચૂકયે જરા પણ પાપાચરણ ન સેવીશ.”
હે ભંતે ! મારો દાદો મારી પાસે આવીને ઉક્ત રીતે કહે, તે જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી શ્રદ્ધા થાય, પણ અત્યારસુધીમાં મારે દાદે અહીં મારી પાસે આવીને એવું કશુંય કહેલું નથી, તેથી હું એમ સમજું છું કે તેમને જીવ અને શરીર એ બને સાથેજ નાશ પામી ગયાં છે અર્થાત મારા દાદાના દેહને દેન દેતાંની સાથે તેમને જીવ પણ અહીં બની ગયો છે તે પરલેકમાં જાયજ કોણ? અને એમ છે માટે તે અહીં આવી પણ ક્યાંથી શકે? અને આમ છે માટે જીવ અને શરીર બને એકજ છે–જે જીવ છે તેજ શરીર છે–એ મારી પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે.
રર૯ કેશી કુમારશ્રમણ બેલ્યાઃ
હે પએસી તારે સૂર્યકાંતા નામે રાણી છે. હવે તું એમ સમજ કે એ રૂડી રૂપાળી તારી રાણી કઈ રૂડા રૂપાળા પરપુરુષ સાથે માનવીય કામસુખને અનુભવતી હેય એમ તું જે, તો એ કામુક પુરુષને તું શું દંડ કરે ?
હે ભંતે! હું એ પુરુષને હાથ કાપી નાખું, પગ છેદી નાખું, એને શૂળીએ ચડાવી દઉં અથવા એકજ ઘાએ તેને પ્રાણ લઉં.
હે પએસીતે કામુક પુરુષ કદાચ તને એમ કહે કે– સ્વામી! તમે એક ઘડીક ભી જાઓ, મારા મિત્રો જ્ઞાતિજને સંબંધી જને અને પરિવારના લોકોને હું એમ કહી આવું કે હે દેવાનુપ્રિયે! કામવૃત્તિને વશ થઈ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org