________________
૧૨૨
શ્રી રાયપાસેણઈય સુત્ત
૨૨૮ રાજા બે
જીવ અને શરીર બને જુદાં જુદાં જ હોય અને જે જીવ છે તેજ શરીર છે એમ ન હોય તે, હે ભંતે ! તમે સાંભળે કે
એક મારે૧૩૯ દાદે હતું જે આ જ નગરીમાં મેટે અધાર્મિક રાજા હતું, તે પિતાના દેશની પણ ઠીક સાર સંભાળ ન કરતો અને ઘણાંય પાપકર્મોમાંજ રા
હેતે. તમારા કહેવા પ્રમાણે તે એ પાપી મારે દાદ કાળ આવતાં મરણ પામી કોઈ એક નરકમાં નરયિક થયે હોવો જોઈએ. હે ભંતે ! કેમ ખરું ને?
વળી, એ મારા દાદાને હું વહાલે પૌત્ર છું, તેને મારા પર ઘણું હેત હતું, હું તેને વિશેષ લાડીલ-માનીત હતું, તેનું હૃદય મને જોઈને વિશેષ આનંદ પામતું. વધારે શું, પણ મારું નામ સાંભળીને પણ તેઓ પોતાનું અહેભાગ્ય માનતા.
હવે, હે ભંતે! તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદાં જુદાં હોય તે મારા દાદા નરકમાં ગયા હોવા જોઈએ. વળી, મારા દાદાને મારા ઉપર ઘણું હેત હતું તેથી તેમણે અહીં મારી પાસે આવીને એમ જણાવવું જોઈએ કે “હે પૌત્ર! હું તારો દાદે હતો પણ અધાર્મિક હોવાને કારણે મેં ઘણાં પાપ આચરેલાં, તેથી હું નરકમાં પડ્યો છું. માટે, હે પૌત્ર ! તું લેશ પણ પાપ ન આચરજે અને પ્રામાણિકપણે દેશને કારભાર કરજે. પાપકર્મમાં પઢશ તે મારી પેઠે નરકમાં જઈશ-નરકની યાતનાઓ બહુ ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org