________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧૨૧
હે પએસી! જણાવેલાં પાંચ જ્ઞાનમાં પહેલાંનાં ચારે જ્ઞાન તે મને થએલાં છે, ફક્ત એક પાંચમું કેવળજ્ઞાન છે તે મને થએલું નથી. એ પાંચમું જ્ઞાન તો અરિહંત ભગવંતોને હોય છે.
હે પએસી ! હું છઘસ્થ છું અને એ ચાર જ્ઞાન દ્વારા તારા મનના સંકલ્પને પણ જાણી શકું છું–જોઈ શકું છું.
૨૨૬ પછી રાજાએ કેશી શ્રમણને કહ્યું: હે ભંતે ! અહીં હું આપની પાસે બેસું? કેશી કુમારશ્રમણ બોલ્યાઃ
આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી વૃત્તિની વાત છે.
૨૨૭ પછી તે ચિત્તસારથિ અને રાજા પએસી એ બન્ને જણ કેશી કુમારશ્રમણની પાસે સાથે બેઠા. રાજાએ શ્રમણને પૂછ્યું:
હે ભંતે! તમારા શ્રમણ નિમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એ ઉપદેશ છે, એ સંક૯૫ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું ૧૩૮ મેસરણ છે કે–જીવ જુદે છે અને શરીર જુદું છે, પણ જે જીવ છે તે જ શરીર છે એવી સમજ નથી.
કુમારશ્રમણ બોલ્યાઃ
હા, એસી ! અમારી સમજમાં જીવ જુદો છે અને શરીર જુદું છે એમ છે પણ જે જીવ છે તેજ શરીર છે એવી અમારી સમજ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org