________________
૧૨૦
શ્રી રાયપાસેથઇસુર
રાજાઃ હે ભતે ! શું તમે પરમાવધિ જ્ઞાન ધરાવે છે? શું તમે અન્નજીવી છે ? શ્રમણે રાજાને કહ્યું:
હે પએસી ! ગામે ગામ ફરતા કોઈ અંકવાણિયા શંખવાણિયા કે દંતવાણિયા દાણમાંથી છટકી જવા માટે કેઈને ખરે રસ્તે પૂછતા નથી પણ આડે અવળે માગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પણ સારી રીતે પૂછતાં આવડતું નથી.
એસી ! મને જોઈને તને એવો વિચાર થયેલ ખરો કે આ જડ લેક પેલા મોટા જડની ઉપાસના કરે છે અને આ મારા ઉદ્યાનમાં પણ બરાડા પાડી મને ય સખે રહેવા દેતા નથી ? • રાજાઃ હા, એ વાત ખરી, પણ હે ભતે! એ તમે જાણ્ય શાથી? તમને એવું તે કેવુંક જ્ઞાન કે દર્શન થએલું છે જેથી મારા મનને સંક૯પ પણ તમે જાણી લીધું?
૨૨૫ કેશી શ્રમણ બોલ્યાઃ
અમારા શ્રમણ નિથાના શાસ્ત્રોમાં કહેવું છે કે જ્ઞાનના પાંચ૧૩૭ પ્રકાર છેઃ ૧ આમિનિબેધિકજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન ૪ મન:પર્યવજ્ઞાન અને પ કેવળજ્ઞાન. તેમાં અવગ્રહ ઈહા અવાય અને ધારણ એમ ચાર પ્રકારનું પહેલું જ્ઞાન છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા બે પ્રકાર બીજા જ્ઞાનના છે. ત્રીજું જ્ઞાન, ભવપ્રત્યય અને ક્ષાપથમિક એમ બે ભેદવાળું છે અને ચોથા જ્ઞાનના ત્રાજુમતિ તથા વિપુલમતિ એવા બે ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org