________________
=
=
૧૧૯
શ્રી રાયપણુઈય સુત્ત ૨૨૨ આમ વિચાર આવતાં જ રાજાએ સારથિને કહ્યું: ચિત્ત ! જે તે ખરે, આ લેકે કેવા જડ છે જે પેલા મોટા જડની સેવા કરે છે અને એ માટે જાડે જડ તેઓની સામે કેવા મોટા બરાડા પાડીને કણ જાણે શુંય સમજાવે છે! ગમ્મત તો એ છે કે આવા નફકરા અને જામી ગએલા જડ લોકોને લીધે આપણે આપણી પોતાની પણ ઉદ્યાનભૂમિમાં સારી રીતે હરી ફરી શકતા નથી. માત્ર વિસામો અને શાંતિ મેળવવા માટે તે અહીં આવ્યા અને અહીં તો માથાના વાળ ઉંચા થઇ જાય એવા બરાડા કાને અથડાયા કરે છે.
૨૨૩ ચિત્ત રાજાને કહ્યું:
હે સ્વામી! એ કેશી નામે કુમારશ્રમણ પાર્થાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે, એમને પરમાવધિજ્ઞાન થએલું છે અને તેઓ અન્નજીવી૩ છે.
રાજા બેલ્યઃ
ચિત્ત ! તું શું કહે છે? શું એ પુરુષને પરમાવધિ જ્ઞાન છે? શું એ અન્નજીવી છે?
સારથિ બે હા, સ્વામી ! એમજ છે. રાજાઃ ચિત્ત ! ત્યારે શું એ પુરુષ અભિગમનીય છે? ચિત્તઃ હા, સ્વામી ! એ શ્રમણ અભિગમનીય છે. રાજા ત્યારે તે ચિત્ત! આપણે તેની સામે જઈએ.
૨૨૪ આમ વાતચીત કરી એ બન્ને જણા સાથે, કેશી કુમારની સામે જઈને તેમની પાસે બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org