________________
૧૧૮
શ્રી રાયપાસેણદય સુત્ત
૨૨૦ સારથિ રથને પાછા વાળી મિયવણ ઉદ્યાન તરફ હંકારી ગયે. ઉદ્યાન પાસે પહોંચતાં તેણે રાજાને કહ્યું
સ્વામી ! આ મિયવણ ઉદ્યાન છે. અહીં ઘડાઓને સારી રીતે થાક ખવડાવીએ અને તેમને બધે શ્રમ આપણે દૂર કરી નાખીએ.
રાજાએ “હા” પાડતાં તે ઉદ્યાનમાં કેશી કુમારશ્રમણના ઉતારાની પાસે જઈ ચિત્ત ઘોડાઓને રોકી રાખ્યા, રથને સ્થિર કર્યો અને ઘોડાઓને છેડી નાખી તેમને શ્રમ દૂર થાય તેવી પ્રવૃત્તિ શરૂ કરી.
રાજા પણ રથથી નીચે ઊતરી સારથિની એ પ્રવૃત્તિમાં જેડા અને ઘોડાઓને ધીમે ધીમે ફેરવવા લાગ્યો.
એમ કરતાં કરતાં, મિયવણમાં મળેલી મેટી સભામાં વચ્ચે બેસી મોટા અવાજે કહેતા કેશી કુમારશ્રમણને રાજાએ જોયા.
૨૨૧ જોતાંજ તેને વિચાર આવ્યો કે “જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ લેકોજ મુંડની પૂજા કરે છે, મૂઢ લેકેજ મૂહને આશ્રય લે છે, અપંડિત લેકેજ અપંડિતને આદર કરે છે અને અજ્ઞાની લોકેજ અજ્ઞાનીનું બહુ માન કરે છે,” તે આ વળી કોણ જડ મૂઢ મુંડ અપંડિત અને અજ્ઞાની પુરુષ છે જે શરમાળ અને શરીરે હુષ્ટપુષ્ટ દેખાવડે લાગે છે ? એ શું ખાય છે? શું પીવે છે ? એવું તે શું ખાધા પીધાથી એનું શરીર આવું તગમગી રહ્યું છે? અને વળી એ શું દે છે જેને લીધે આવી મોટી માનવમેદનીની વચ્ચે બેઠે બેઠે તે મેટા બરાડા પાડે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org