________________
શ્રી રાયપસણય સુર
૧૧૭ ૨૧૬ પછી કેશી કુમારશ્રમણ બેલ્યાઃ હે ચિત્ત ! તે પ્રસંગે વાત.
ત્યારબાદ ચિત્તસારથિ પોતાના ધર્માચાર્ય કેશી કુમારશ્રમણને વાંદી નમી રથમાં બેસી પિતાને આવાસે જઈ પહોંચ્યા.
૨૧૭ હવે એક દિવસે પ્રભાતના પહેરે નિયમ ધારી અને આવશ્યક કરી સૂર્ય ઉગતાં જ ચિત્તસારથિ પિતાને ઘેરથી રાજા પએસીને ઘેર ગયો. રાજાને નમસ્કાર કરી જયવિજયથી વધાવી તે બેઃ
હે દેવાનુપ્રિય! આપને મેં કેળવેલા ચાર ઘેડાની ભેટ મોકલેલી છે, તે હે સ્વામી ! ચાલે અને એ ઘોડાએની ચેષ્ટા જુઓ, અર્થાત્ એમનાં ચાલ સ્વભાવ વગેરેની પરખ કરે.
૨૧૮ રાજાએ સારથિને કહ્યુંઃ ચિત્ત ! તું જા અને પારખવાના તે ચારે ઘોડાઓ જોડેલ અશ્વરથ જલદી તૈયાર કરી અહીં હંકારી લાવ.
અશ્વરથ આવી પહોંચતાં શરીરને સજધજ કરીને રાજા રથમાં બેસી સેયવિયા નગરીની વચ્ચોવચ્ચ તક ઘોડાને ખેલવતે ખેલવતો બહાર નીકળે.
૨૧૯ એમ જતાં જતાં ચિત્તસારથિ તે રથને અનેક જનો૧૩૫ સુધી ખેંચી ગયે. રાજા પએસી, ગરમી, તરસ, રથને વાયર–ઉની લૂ કે ઉડતી ધૂળથી કંટાળી થાકી ગયો અને બોલ
ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે હવે રથને તું પાછા વાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org