________________
૧૪
જોઈએ. આ વર્ણનોમાં પણ ઘણે સ્થળે એવી ઉપમાઓ આવે છે કે જે ઉપમાઓ-સ્થૂળ પદાર્થોની અપેક્ષાઓ–એ દેવત્વને વાણીદ્વાર કહી બતાવવા માટે પણ ઊણુ-અધૂરી લાગતી હોય, અને તે વખતે બધી ઉપમાઓ કરતાં પણ વિશેષત્વ સૂચવીને સૂત્રકારને સંતોષ માની લેવો પડે છે. જે પરિસ્થિતિ વર્ણનાતીત હોય, તે પરિસ્થિતિને વ્યક્ત કરવા માટે આ પ્રકારની ભાષા અને ઉક્તિ, સૂત્રેગમને કાળ પણ ધ્યાનમાં લેતાં, મને તે અસ્વાભાવિક લાગતી નથી. ઈદ્રિયાતીત વિશે સંબંધી ખ્યાલ સેન્દ્રિય મનુષ્યને આપવા માટે જે શિલી સૂત્રકારને આવશ્યક લાગી હતી, તેજ શૈલીને વારસે અભિનવ રૂપાંતર સાથે આજના સાક્ષરે અને મહાત્માઓ ધરાવી રહ્યા છે એવું શું આપણે જેતા નથી ?
મુમુક્ષુનું સાધ્ય મેક્ષ હોય છે. તેનું સાધન તેનું ઐહિક મનુષ્યત્વ છે. મનુષ્યત્વ મન ઉપર નિર્ભર રહેલું છે, તેથી જ મનુષ્યને બંધ અને મોક્ષના કારણરૂપ મન હોવાનું શાસ્ત્રકારોએ કહેલું છે.
શ્રીમાન આનંદઘનજી કહે છે :મન સાધ્યું તેણે સઘળું સાધ્યું,
એ વાત નહિ ખોટી; ઈમ (કોઈ) કહે સાધ્યું તે નવિ માનું,
એ કહિ વાત છે મહટી. એવા આ મનને જેમ બને તેમ વધુ સંસ્કારી અને પવિત્ર કરવાથી જ મનુષ્યનું પરમ સાધ્ય સિદ્ધ થઈ શકે તેમ હોવાથી જગતના મહાત્માઓએ અને જ્ઞાની પુરૂષોએ મન ઉપર સીધી અસર કરે તેવા ઉપદેશો આપેલા છે.
ઇંદ્રાદિકના સુખમાંહી મનડું રમે,
તેવુંજ મન રહે નરક સમા દુઃખમાંહ્ય જે મનની એવી સમસ્થિતિ નીપજાવતાં બીજાઓને શીખવવાનો ઉપદેખાનો પવિત્ર આશય હોય છે. મનની આવી સમસ્થિતિ પ્રદેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org