________________
૧૩
ધુનિક કાળની સુધા તેમાંથી વ્યક્ત થાય છે. વર્તમાન વિદ્વાનો આ સુધા પ્રતિ લક્ષ આપશે ?
જેઓ આત્માની નિત્યતાને સ્વીકારે છે તેઓ-તે તે ધર્મશાસ્ત્રો પણ–દેવલોકના અસ્તિત્વને માન્ય રાખે છે. એ દેવકના દેવો પણ હવે જડવિજ્ઞાનની કસોટીએ ચડવા લાગ્યા છે ! દેહમાંથી આત્મા છૂટો પડે છે ત્યારે તેને વાયુરૂપ દેહ કેવો હોય છે તે જોવા માટે પાશ્ચાત્ય દેશોમાં અખ્તરાઓ થઈ રહ્યા છે અને તે અખ્તરાએ આત્માની નિત્યતાને પુરાવો આપનારા નીવડી રહ્યા છે. પ્રદેશી રાજાએ કેશી કુમારશ્રમણની સમીપે દેહ અને આત્મા એકજ હોવાના પક્ષમાં જે દૃષ્ટાંતો તથા દલીલે આપ્યાં હતાં તે કરતાં વધારે બારીકીવાળા પ્રયોગોધારા દેહના મૃત્યુ પછીના આત્માના સૂક્ષ્મ દેહના અસ્તિત્વને અવલોકવામાં આવે છે. પ્રેતાત્મવિજ્ઞાન–જેને અંગ્રેજીમાં સ્પિરિચ્યુંએલિઝમ કહે છે–પણ પાશ્ચાત્ય દેશોમાં એટલું આગળ વધ્યું છે કે તેથી મૃત્યુ પછીના સૂકમ દેહના અસ્તિત્વને દષ્ટિનો વિષય પણ બનાવી શકાય છે. થીઓસોફી અને પ્રેતાત્મવિજ્ઞાનની પારભાષામાં કહું તો આ સૂક્ષ્મ દેહ એ દેવત્વ, અને તેને સ્થૂળ દૃષ્ટિથી કરાતો સાક્ષાત્કાર એ દેવનું વૈક્રિય સ્વરૂપ હોઈ શકે.
પરતુ જન શાસ્ત્રમાં અને ઈતર ધર્મશાસ્ત્રમાં પણ એ દેવલોકના દેવના જે પ્રકારે કહ્યા છે અને તેમનાં સ્થાન-નામ-સ્વરૂપ
દ્ધિ-શક્તિ આદિનાં જે વર્ણનો કહેલાં છે તે આ વિજ્ઞાનયુગની પ્રેતાવિજ્ઞાનની શોધોને બંધબેસતાં થતાં નથી, તેથી પણ શંકાશીલતાને જન્મ મળે છે અને કેટલાકોનાં મન અશ્રદ્ધાની દિશાએ ઢળે છે. ઈહલેકનાં મનુષ્યને-સાડાત્રણ મણની કાયાવાળાં અને સાડાપાંચ ફીટની ઉંચાઈ ધરાવતાં ધૂળદેહધારી માનવોને-એ માનસ દેહવાળા દેવનાં અલૌકિક સ્વરૂપાદિ વર્તમાન વાણીમાં સમજાવવા માટે કેવી આલેખના કરી બતાવવી જોઈએ તેને પૂર્ણ વિચાર ભગવંતે અને તેમની વાણીને ભાષામાં ગૂંથનારા ગણધરેએ કર્યો હોવો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org