________________
૧૨
ભાન કાળના દૃષ્ટાન્તરૂપ છે. આત્માના નિત્યત્વને બોધ કરનારા જેનાદિ આર્ય ધર્મો અને તેના અનિત્યને સિદ્ધ કરવા મથતા પાશ્ચાત્ય વૈિજ્ઞાનિકોની દલીલની સમાલોચના કરીને તેનો નિર્ણય કરવાનું આ સ્થાન નથી; તેમજ ખુદ યુરોપમાં એ બેઉ તત્ત્વજ્ઞાનની શાખાઓ વિષે વિદ્વાનોમાં વિવાદ ચાલી રહેલ હોઈ તેના કોઈ પૂર્ણ અભ્યાસીએજ એ વિષે એક સ્વતંત્ર ગ્રંથ લખવે જોઈએ એવી મારી માન્યતા છે; છતાં એટલું તો હું નિશ્ચિત રૂપે કરી શકું છું કે આત્માની નિત્યતા વિષેની શ્રદ્ધા વર્તમાન જીવસૃષ્ટિને સુખે જીવન નિર્વાહવા માટે જેટલી કલ્યાણકારક અને ઇષ્ટ છે તેટલી જ આત્માની અનિત્યતા વિષેની માન્યતા અકલ્યાણકારક અને અનિષ્ટ છે.
( ૩ ). અંધશ્રદ્ધાનો આ યુગ નથી, જે કે જનતાની શ્રદ્ધા કેળવવા માંગનારા સાંપ્રદાયિક તો બહુધા તેને અંધશ્રદ્ધાને માર્ગેજ રે છે; એ અંધશ્રદ્ધાની કેળવણીને પ્રત્યાઘાત અશ્રદ્ધાના સ્વરૂપમાં પડતો જનતામાં જોવામાં આવે છે. એ અશ્રદ્ધાને ટાળી સુશ્રદ્ધાને સ્થાપવા માટે વિજ્ઞાનની સહાય લેવામાં આવે, તો તે ઉપયોગી થઈ પડે છે. પૂર્વકાળમાં સામાન્ય જનતા આધુનિક સમયના જેટલી જડ-વિજ્ઞાનમાં આગળ વધેલી નહિ હોય, એટલે કેવળી ભગવતે સૂત્રરૂપે સત્ય કહી સંભળાવ્યાં. એ સૂત્રે એજ સ્વરૂપમાં પછીની જનતાને ન પચે એવાં જણાયાં, ત્યારે ટીકાકારેએ એ સૂત્રે ઉપર વિસ્તૃત ટીકાઓ રચી અને તેમાં વિજ્ઞાનની સહાય લીધી, પણ એ વિજ્ઞાન વર્તમાન જડવિજ્ઞાન નહોતું. આત્મવિજ્ઞાન અને મનોવિજ્ઞાન એ ટીકાઓમાંથી
રતું આપણે કેટલેક અંશે જોઈએ છીએ. આધુનિક સમય તો જડવિજ્ઞાનની કસોટીએ એ સૂત્રકથિત સત્યોને કસી જોવાની જિજ્ઞાસાવાળો છે, એટલે નવીન દૃષ્ટિએ એ સૂત્ર ઉપર ટીકાઓ રચાય તે અત્યંત આવશ્યક છે. આ અનુવાદને અંતે જોડેલાં ટિપણેમાં પંડિતજીએ અનેક સ્થળે શંકાસ્થાન નિર્દિષ્ટ કરેલાં છે, તેમાં વિજ્ઞાન નદષ્ટિ અપેક્ષિત રહેલી છે; વિજ્ઞાનદષ્ટિએ લખેલી ટીકાઓની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org