________________
૧૫
રાજાએ કશી કુમારશ્રમણના ઉપદેશથી અને તપ-સંયમ વડે સાધી હતી તેના પરિચય આ સૂત્રમાંથી થાય છે. રાણીએ ઐહિક સુખના સ્વામાં ભાન ભૂલીને રાજાને ઝેર આપ્યું, એ ઝેરની રાજાને જાણ થઈ ત્યારે પણ રાણી પ્રત્યે રાજાએ સ્હેજ પણ અભાવ ધારણ કર્યાં વિના દેહ પરને મમત્વભાવ છાંડા, એ મનની અપૂર્વ સમસ્થિતિનું આપણને દર્શીન કરાવે છે. મનની આવી સમસ્થિતિ પ્રાપ્ત કરનારજ ઝેર આપનાર પ્રતિ નિર બુદ્ધિ ધરાવી શકે છે, આત્મરમણતા અનુભવી શકે છે, ઇંદ્રાદિકનાં સુખ તથા નરકનાં દુ:ખને સમભાવે વેદી શકવા સમર્થ અને છે અને નવાં કનાં બંધનને અવરેાધી શકે છે. પાપી મનુષ્યા પણ મન ઉપર સીધી અસર કરનારા ઉપદેશાથી બહુધા સન્માર્ગે વળી શકે છે.
જનસમુદાયમાં વિશેષ
ભાગ સામાન્ય બુદ્ધિશક્તિવાળા હેાય છે, તેને એ ઉપદેશશૈલીના લક્ષ્યરૂપ લેખવામાં આવે છે અને એ ઉપદેશ એવા સમુદાયનાં મન ઉપર અસર કરીને તેમના જીવનને ષ્ટિ દિશાએ દોરવામાં સહાયક બને છે, એટલું ખરૂં છે કે જેમ જૂદાં જૂદાં દર્દીઓનાં દ જૂદાં જૂદાં હાય છે અને તેમના વ્યક્તિગત ઉપચારા જૂદા જૂદા પ્રકારના કરવા જોઇએ છે, તેમ પ્રત્યેક વ્યક્તિનાં મન એકજ–સમાન ભૂમિકા ઉપર હેતાં નથી, તેથી તેમને માટે ઉપદેશકથાનક તેમજ ઉપદેશશૈલી પણ જૂદાં જૂદાં હોવાં જોઇએ છે; પરન્તુ જેવી રીતે નિષ્ણાત વૈદ્ય અનેક દર્દીઓના સમુદાયના દર્દનું એક સામાન્ય સ્વરૂપ નિરીક્ષીને તેને શક્તિનું ઔષધ આપે છે અને એથી શક્તિ પ્રાપ્ત થતાં જૂદાં જૂદાં દર્દીએનાં પૃથક્ પૃથક્ દર્દી એ શક્તિના આવિર્ભાવથી શમવા માંડે છે, તેવી રીતે એક જ્ઞાની ઉપદેષ્ટા જૂદી જૂદી કોટિના શ્રેાતાના સમુદાયને એવા સર્વ સામાન્ય ઉપદેશ આપવા યત્ન કરે છે કે જે ઉપદેશ પ્રત્યેકનાં જૂદાં જૂદાં માનસિક દર્દી ઉપર ઔષધરૂપ નીવડે. ઉપર જણાવ્યું તેમ સામાન્ય જનસમુદાયને લક્ષ્ય કરીને આપવામાં આવેલા ઉપદેશમાં જે વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org