________________
૧૧૫
શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૧૨ કેશી શ્રમણની ધર્મદેશના સાંભળી હરખાએલે અને તેષ પામેલે સારથિ બે કે–હે ભગવન્! અમારે રાજા પએસી અધાર્મિક છે અને પિતાના દેશને ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓને આદર કરતું નથી અને સર્વ કેઈને હેરાન હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય ! તમે એ રાજાને ધર્મોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્ય, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય.
૨૧૩ ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશી કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્ય આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પકુંપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રાના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી.
જે મનુષ્ય ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણને આદર કરતા નથી, તેમની પાસે જઈ કશે ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી.
જે મનુષ્ય ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકારને ખુલાસે પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાન અધિકારી થઈ શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org