________________
૧૧૪
શ્રી રાયપાસેણઈય સુત્ત
નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આમાને ભાવિત કરતા રહેવા લાગ્યા છે.
ર૧૦ ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી-ઊભું થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મેજીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાત આઠ પગલાં ગયે અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગે
નમસ્થ અરિહંતાણું ભગવંતાણું વગેરે.
આ શકસ્તવ પૂરું કરતાં છેવટે તે બે કે–અહીંના મિયવણ ઉદ્યાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદું છું.
૨૧૧ એ રીતે પિતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમને આગમન સંદેશે કહેવા આવનાર તે ઉદ્યાનપાલકેનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાંસુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યા.
પછી તેણે કૌટુંબિક પુરુષને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકમ કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શાભાવી તૈયાર થઈ ગયે.
પછી રથમાં બેસી મેટા જનસમુદાય સાથે કેશ કુમારશ્રમણના દશનાથે તે ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org