________________
૧૧૦
શ્રી રાયપણઈય સુત્ત સારથિ પ્રસન્ન થશે. ઉઠતાં તેણે શ્રમણને વિનંતિ કરી કે– હે ભગવન! રાજા જિતશત્રુ ની વિદાય લઈ આજે હું સેવિયા નગરી ભણી રવાના થઉં છું, તો હે ભગવન! તમે કઈ વાર સેવિયા નગરી જરૂર પધારજે. સેવિયા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને બધી રીતે રમણીય છે, માટે જરૂર તમે ત્યાં પધારવા કૃપા કરશે.
૧૯૮ ચિત્ત સારથિના આ કથનનો કેશી શમણે આદર ન કર્યો, તે તરફ કાંઈ ધ્યાન ન આપ્યું, પણ માત્ર મૌનજ ધરી રાખ્યું. છતાં ચિત્ત સારથિએ તો બીજીવાર અને ત્રીજીવાર પણ સેવિયા નગરી આવવાને આગ્રહ કર્યો કર્યો.
૧૯ જ્યારે બે ત્રણવાર સારથિએ આગ્રહભરી વિનંતિ કરી ત્યારે કેશી કુમારશ્રમણ સારથિ પ્રતિ બોલ્યા કે—હે ચિત્ત ! જેમ કેઈ એક લીલાછમ ઠંડી છાયાવાળ માટે વનખંડ હોય, તે હે ચિત્ત ! તે વનખંડ, મનુષ્ય પશુ પક્ષી અને સર્પ વગેરેને રહેવાલાયક ખરે ? ચિત્ત બેલ-હા જરૂર–અ રહેવાલાયક ખરે.
શ્રમણ બેલ્યા–પણ હે ચિત્ત ! એ વનખંડમાં અનેક પ્રાણીઓનું લેહી પીનારા ભીલુંગા નામના પાપશકુન રહેતા હોય તો એ વનખંડ શું રહેવાલાયક ખરે ? ચિત્ત બોલ્યો– એમ હોય તો એ સારો વનખંડ પણ ઉપસર્ગ દેનારે હાવાથી રહેવાલાયક ન ગણાય.
શ્રમણ બોલ્યા-એજ પ્રમાણે, હે ચિત્ત ! તારી સેયવિયા નગરી પણ ભલે ઘણી સારી હોય, છતાં તેને અધામિક રાજા પચેસી પ્રજાને કારભાર સારી રીતે ન ચલાવનારે હોવાથી હું ત્યાં કેવી રીતે આવી શકું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org