SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી રાયપણુઇય સુત્ત ગ્રહવાસ છેડી અણગારપણું સ્વીકાર્યું છે પણ હું તેમ કરવા સમર્થ નથી. હું તે આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતવાળે અને સાત શિક્ષાત્રતવાળે૧૩૦ એમ બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકારવા શક્તિમાન છું. - ૧૯૪ કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર, તેમાં વિન ન આવવા દે. પછી કેશી કુમારશ્રમણ પાસે ચિત્ત સારથિએ પૂર્વે જણાવેલ ગૃહિધર્મ સ્વીકાર્યો અને તેમને વાંદી નમીને પાછો એ સારથિ પિતાને ઊતારે આવી પહોંચે. ૧૯૫ હવે તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થયે. જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા કિયા અધિકરણ બંધ અને મોક્ષના સ્વરૂપને તે બરાબર સમજવા લાગે. નિગ્રંથ પ્રવચનમાં તેને હવે એવી દઢ શ્રદ્ધા થઈ કે તે પ્રવચનથી કેઈ દેવ અસુરના સુવર્ણ યક્ષ રાક્ષસકિન્નર કિંગુરુષ ગરુડ ગાંધર્વ કે મહોરગ વગેરે દેવગણ તેને ચળાવી શકે નહિ.નિગ્રંથ પ્રવચન તરફની તેની બધી શંકાઓ ટળી ગઈ, બધી કાંક્ષાઓ શમી ગઈ અને બધી વિચિકિત્સા ઓસરી ગઈ. તે એ પ્રવચનના મર્મને બરાબર સમયે અને જેમ અસ્થિ મજા પરસ્પર ઓતપ્રેત થઈ રહેલાં છે તેવી જ ઓતપ્રેતતા એ પ્રવચનમાં તેને જામી ગઈ. હવે તે એમ માનવા લાગ્યું કે આ નિગ્રંથ પ્રવચન પરમાર્થરૂપ છે અને બાકી બધું અનર્થરૂપ છે. પ્રવચનની આવી આસ્થાને લીધે હવે તે૧૩૧ અતિશય દાનશાલી થયો એટલે હવે તેણે પિતાના ઘરના આગળિયા ઉંચા કરી લીધા અર્થાત્ સર્વ કેઈને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy