________________
શ્રી રાયપસેણઈય સુત્ત
૧
૦
બલિકર્મ કર્યું, મંગલમય શુદ્ધ વસ્ત્રો પહેર્યો, એક જણે એના ઉપર છત્ર ધર્યું અને એ રીતે તે, રથમાં બેસી મોટા સમુદાય સાથે કેશ કુમારશ્રમણના ઊતારા ભણી જવા નીકળે. તેમની પાસે પહોંચતાં જ ઘોડાઓ ઊભા રાખ્યા, રથને થંભાવી દીધો અને પોતે રથથી ઊતરી કેશી કુમારશ્રમણની ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંદી નમી હાથ જે વિનયપૂર્વક સેવા કરતા તેમની સામે બેઠે.
૧૯૨ કેશ કુમારશ્રમણે ચિત્ત સારથિને અને તેની સાથેની મોટા જનતાને ચતુર્યામ ધર્મને ઉપદેશ કર્યો એટલે કે સર્વ પ્રકારની હિંસાથી વિરામ ક, સર્વ પ્રકારના અસત્યથી વિરામ કર, સર્વ પ્રકારની ચોરીથી વિરામ કરે અને સર્વ પ્રકારના બહિદ્ધાદાનથી૧૨૮ વિરામ કરો.
૧૯ કેશી કુમારશ્રમણે કહેલી આ હિતશિક્ષાઓ સાંભળીને ચિત્ત સારથિ પ્રમુદિત થયો અને શ્રમણને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જે આ પ્રમાણે છે :
હે ભગવન! તમે કહેલા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ ધરું છું, હે ભગવન ! તમેએ જણાવેલું નિગ્રંથ પ્રવચન મને રુચે છે, તે પ્રમાણેના પાલન માટે ઉજમાળ થઉં છું અને હે ભગવન! જેવું તમે કહેલું છે તેવું તે, મને સારું લાગે છે.
તમારી પાસે આ ઘણું ઉગે ભેગે અને ઈભ્યો વગેરેએ પોતાનું પુષ્કળ સોનું રૂપું ધન ધાન્ય બળ વાહન ભંડાર કોઠાર અને વિશાળ અંતઃપુર એ બધાંને પરિત્યાગ કરીને અને એ બધું ધન જનતામાં વહેંચી દઈને મુંડ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org