________________
-
- -
-
- -
-
-
-
-
-
૧૦૬
શ્રી રાયપણઈય સુત્ત
૧૮૮ તે વખતે ત્યાંથી પાછા ફરતા લોકોને ઘોંઘાટ સાંભળીને ચિત્ત સારથિના મનમાં એમ થયું કે શું આજે આ નગરીમાં ઈંદ્ર સ્કંદ રુદ્ર મુકુંદ નાગ ભૂત યક્ષ સ્તૂપ ચૈત્ય વૃક્ષ ગિરિ ગુફા કૂવે નદી સરવર કે સમુદ્ર સંબંધી કોઈ ઉત્સવ છે કે જેને લઈને આ ઘણું ઉો ભેગો રાજ
જે ક્ષત્રિય ઈશ્વાકુઓ જ્ઞાત કૌર બ્રાહ્મણ ભટ છે. લિછવિઓ મલ્લકિઓ પ્રશાસ્તાઓ ઈ ઈભ્યપુત્રો અને સેનાપતિઓ વગેરે નાહી ધોઈને આવજા કરી રહ્યા છે, કેટલાક ઘેડે ચડેલા છે, કેટલાક હાથીએ બેઠેલા છે અને કેટલાક ટેળે વળીને પગે ચાલતા આવજા કરે છે?”
૧૮૯ લોકેની એ દોડધામવાળી આવજાનું કારણ જાણવા ચિત્ત સારથિએ પોતાના કંચુકી પુરુષને તપાસ કરવા મોકલ્યા, તેણે બરાબર તપાસ કરી ખરા સમાચાર મળતાં જ આવીને ચિત્ત સારથિને વિનયપૂર્વક જણાવ્યું કેહે દેવાનુપ્રિય ! આજે આ નગરીમાં કોઈ ઇંદ્ર કે સાગર વગેરેનો ઉત્સવ નથી પણ પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ આ નગરીના કેદ્રય નામના ચૈત્યમાં આવીને ઊતરેલા છે અને તેમના દર્શનાર્થે જવા માટે આ બધી દોડધામ ઘંઘાટ થઈ રહ્યાં છે. . ૧૯૦ પિતાના સંદેશવાહકે કહેલી એ હકીકત સાંભળીને ચિત્ત સારથિ ખુશ થયો અને તેને પણ કેશી શ્રમણ પાસે જવાનું મન થયું, એથી તેણે કૌટુંબિક પુરુષને બેલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો.
૧૯૧ રથ આવી પહોંચતાં તે તે સારથિ નાહ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org