________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૦૫
ઉપર કાબૂ કરેલ હતું. એમને જીવનની તૃષ્ણા કે મરણને ભય નહોતાં. એમના જીવનમાં તપ, ચરણ, કરણ, નિગ્રહ, સરળતા, કમળતા, ક્ષમા, નિર્લોભતા એ બધા ગુણે મુખ્યરૂપે હતા. વળી તે શ્રમણ વિદ્યાવાન માંત્રિક બ્રહ્મચારી અને વેદ તથા નયના જ્ઞાતા હતા. તેમને સત્ય શૌચ વગેરે સદાચારેના નિયમો પ્રિય હતા, તથા તેઓ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનવાળા હતાઃ એવા તે કેશી૧૨૮ કુમારશ્રમણ પિતાના પાંચસે ભિક્ષુશિષ્ય સાથે ક્રમે ક્રમે ગામે ગામ ફરતા ફરતા સુખે સુખે વિહરતા શ્રાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા કેદ્રય ચેત્યમાં આવીને ઊતર્યા અને ત્યાં ચોગ્ય અભિગ્રહ ધારણ કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા.
૧૮૬ જે વખતે કેશી કુમારશ્રમણ સાવત્થી નગરીએ આવ્યા તે વખતે તે નગરીમાં ઠેર ઠેર–તરભેટામાં ત્રિકમાં ચેકમાં ચાચરમાં ચોકઠામાં રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ
જ્યાં સાંભળે ત્યાં ઘણા લેકે પરસ્પર એમ કહેતા હતા કે આજે તે પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ અહીં આવ્યા છે, તે હે દેવાનુપ્રિયે ! આપણે તેમની પાસે જઈએ, તેમને વાંદીએ, નમીએ, સત્કારીએ અને સન્માનીએ.
૧૮૭ આમ વિચારીને એ નગરીનો જનસમુદાયમહાજન કેયચૈત્યમાં જ્યાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા ત્યાં તેમના દર્શનાર્થે પહોંચ્યું. કેશી કુમારશ્રમણે પિતાની પાસે આવેલા લોકોને તેમને એગ્ય હિતશિક્ષાઓ કહી સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org