________________
-
-
શ્રી રાયપણુઈય સુત્ત
૧૦૩
નગરીએ જા અને ત્યાં જિતશત્રુ રાજાને આ આપણું ભેટ આપી આવ૨૭ તથા ત્યાંનાં રાજકા, રાજનીતિઓ અને રાજવ્યવહારો તું જાતે પોતે જ જિતશત્રુ રાજાની સાથે રહીને જેતે–સંભાળતો હૈડે વખત ત્યાં રહી પણ આવ.
૧૮૨ ચિત્ત સારથિ એ ભેટશું લઈ પોતાને ઘેર આવ્યા અને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બેલાવીને કહ્યું કે–હે દેવાનુપ્રિયે ! મારે માટે છત્રીવાળે ચાર ઘંટાવાળે એ ઘેડા જોડે રથ જલદી તૈયાર કરી હાજર કરે. કોટુંબિક પુરુષે એ રથની તૈયારીમાં લાગ્યા એટલા સમયમાં ચિત્ત સારથિ નાહ્યા, બલિકર્મ કર્યું, બશ્વર પહેર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર સાથે રાજચિહનવાળે પટ્ટો પહેર્યો અને જોઈતાં હથીઆર પીઆરે પણ બાંધી લીધાં.
૧૮૩ પછી પેલું રાજાએ આપેલું ભેટછું લઈ, તૈયાર થઈને આવેલા રથ ઉપર ચિત્ત સારથિ બેઠે, તેને માથે એક જણે કરંટકના ફૂલની માળાવાળું છત્ર ધર્યું અને રથની પાછળ હટીઆરબંધ બીજા અનેક માણસને પણ તેણે સાથે લીધા. એ રીતે તે સેવિયા નગરીથી નીકળી કેકયિઅર્ધ દેશની વચ્ચે થતે કુણાલ દેશની સાવત્થી નગરી તરફ જવા લાગ્યા.
વચ્ચે વચ્ચે બહુ લાંબા નહિ એવા સુખરૂપ શિરામણીવાળા પડાવ કરતો કરતે તે સાવOી નગરીએ જઈ પહોંચે.
૧૮૪ ત્યાં જિતશત્રુ રાજાના ઘરની જે બાજુ બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં જઈ તેણે ઘોડા ઊભા રાખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org